સંસ્કારી ચોરણી જેણે પહેલા 1 લાખ રૂપિયા મંદિરમાં દાન કર્યા, પછી ચોરીના 90 લાખથી મનાલીમાં અય્યાશી કરી

ભિલવાડા, રાજસ્થાન: ચોર ચોરી કેમ કરે છે?

ચોરીના રૂપિયાથી મોજ કરવા માટે અને તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે જેઓ પૂર્ણ કરવાની તેમનામાં ક્ષમતા નથી.

પરંતુ ચોરોના પણ સંસ્કાર હોય છે. માનવો નહિ હોય તો આ ચોરણીની કહાની જ લઈ લો. રાજસ્થાનના ભિલવાડાની રહેવાસી આ છોકરીએ તેના દાદાના લોકરમાંથી 90 લાખ રૂપિયા ચોર્યા અને શહેર છોડીને પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે ડ્રીમ ટૂર પર નીકળી ગઈ. તેની ઇચ્છા હતી કે મનાલી જઈને ફરે અને તે બધું કરે જે પૈસાવાળા અમીર લોકો હિલ સ્ટેશનો પર જઈને કરતા હોય છે. પણ સંસ્કાર જુઓ કે મનાલી જઈને ચોરીના પૈસા ખર્ચવા પહેલા આ છોકરીને ભગવાનની યાદ આવી. આ ‘સંસ્કારી’ ચોરણીએ નક્કી કર્યું કે તે પહેલા ચોરીના મળેલા પૈસાથી મંદિર જઈને દાન કરશે અને પછી જ મનાલી તરફ જશે. આ પછી છોકરી પોતાના સાથીઓ સાથે પહેલા ખાટુ શ્યામ મંદિર પહોંચી, ત્યાં પૂરા એક લાખ રૂપિયા દાનપાત્રમાં નાખ્યા અને પછી કાર ખરીદીને મનાલી તરફ નીકળી ગઈ.

દાદાના લોકરમાંથી ચોર્યા 90 લાખ રૂપિયા
ચોરીની ફરિયાદ જ્યારે પોલીસ સુધી પહોંચી ત્યારે પોલીસને માજરા સમજવામાં વધારે સમય લાગ્યો નહિ. હકીકતમાં જેમના ઘરમાં ચોરી થઈ હતી તે પૂજા ચૌધરી નામની આ આરોપીની દાદા-દાદી લાગતા હતા. પૂજાનું ઘર તેમની બાજુમાં જ હતું. તેથી પૂજાને ખબર હતી કે દાદાએ તાજેતરમાં પોતાની વારસાગત જમીન વેચી છે જેના બદલામાં મળેલા 90 લાખ રૂપિયા ઘરના લોકરમાં રાખ્યા છે. તો પૂજાએ મધરાતે વૃદ્ધ દાદા-દાદીના ઘરમાં ઘુસીને તકલિયાના નીચે થી લોકરની ચાવી કાઢી અને પછી લોકર ખોલીને 90 લાખ રૂપિયા ચોરી લીધી. દાદાને જ્યારે સુધી પૈસા ચોરાવાની ખબર પડી તે વખતે પૂજા તેના સાથીઓ સાથે મનાલી માટે નીકળી ચૂકી હતી.

ચોરીના રૂપિયા ખાટુ શ્યામ મંદિરમાં ભેટ કર્યા
ચોરીના આ મામલામાં પૂજાના સાથે તેના મિત્રો સુરેશ જાટ અને નારાયણ જાટ પણ સામેલ હતા. આ બન્ને ભિલવાડાના જ રહેવાસી છે. જ્યારે પોલીસએ પૂજાના કોલ ડિટેલ્સ ચકાસી અને તેને કસ્ટડીમાં લઈ સખત પૂછપરછ કરી ત્યારે તે પોતે જ આ બન્નેના નામ જણાવી દીધા. પોલીસની પૂછપરછમાં પૂજાએ કહ્યું કે દાદાથી ચોરેલા 90 લાખ રૂપિયા તેણે તેના ત્રીજા સાથી હંસ રાજ જાટના ઘરમાં છુપાવ્યા હતા. પૂજાએ કહ્યું કે ચોરીના રૂપિયા લઈને તે પહેલા ખાટુ શ્યામ મંદિર ગયા અને ત્યાં એક લાખ રૂપિયા દાન કરી દીધા.

ત્યારબાદ આ બન્નેએ મળી ને દેઢ લાખ રૂપિયામાં જૂની કાર ખરીદી અને પછી પૂજા, સુરેશ અને નારાયણ મનાલી માટે નીકળી ગયા. ત્યાં આ ત્રણે બન્ને હાથોથી ચોરીના રૂપિયા ઉડાવ્યા. પરિણામે આઠ દિવસોમાં આ ત્રણે 90 લાખમાંથી આઠ લાખ રૂપિયા ઉડાવી દીધા હતા. હાલમાં પોલીસએ તેમના પાસેથી બચેલ 82 લાખ રૂપિયા કબજે કરી લીધા છે અને પૂજાને સહિત ચારેય આરોપીઓને જેલ મોકલી દીધા છે

Nirali