પરીક્ષાના તણાવમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યુ એવું કે…IRS ઓફિસરે કરી દીધી આ વાત

નહિ લાવી શકું 95%…લખી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા : સુસાઇડ નોટમાં લખ્યુ- I AM SORRY…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓના પણ આપઘાતના મામલા સામે આવી રહ્યા છે. જેમાં કોઇ પરીક્ષાના તણાવમાં તો કોઇ સ્કૂલમાં હેરાનગતિને કારણે તો કોઇ અન્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાન બોર્ડ પરીક્ષા 16 માર્ચથી રાજસ્થાનમાં શરૂ થવાની છે.

ત્યારે પરીક્ષા પહેલા જ હાલમાં અભ્યાસના દબાણમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીએ તેના ઘરે જ ફાંસી લગાવી જીવન ટૂંકાવી લીધુ. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ગુરુવારના રોજ આ મામલો દૌસા જિલ્લાના લાલસોટ ટાઉનની નવી વસાહતમાંથી સામે આવ્યો. વિદ્યાર્થીનીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું કે તે 95 ટકાથી વધુ નહિ લાવી શકે અને તે પરેશાન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 16 માર્ચે ખુશબૂની ધોરણ 10 બોર્ડની પહેલી પરીક્ષા હતી. એવામાં તે ઘરે રહી અભ્યાસ કરી રહી હતી. ઘટના દરમિયાન ઘરમાં તેનો નાનો ભાઇ હતી, જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. ખુશબૂની માતા ગુરુવારે સવારે 11 વાગ્યે નાના ભાઈની શાળા ફી જમા કરવા ગઈ હતી. આ દરમિયાન જ ખુશબુએ ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. જ્યારે માતા ઘરે પરત ફરી ત્યારે પુત્રીને લટકતી જોઈને તેના તો હોંશ જ ઉડી ગયા.

IRS

ખુશબુ મીનાના પિતા જાલોર જિલ્લાની એક શાળામાં સરકારી શિક્ષક તરીકે કાર્યરત છે. પુત્રીની આત્મહત્યાના સમાચાર સાંભળીને તેઓ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા. ખુશબુએ સુસાઇડ નોટમાં અભ્યાસના દબાણને કારણે આત્મહત્યા કરવાનું કહ્યુ છે. પુત્રીના આ પગલા પછી પરિવાર પણ આઘાતમાં છે. ત્યારે લોકો પણ આ ઘટના વિશે સાંભળી આશ્ચર્યમાં છે. ત્યારે આ મામલે યુ.પી.એસ.સી. પાર કરનારા આઇઆરએસ અધિકારીએ તેમની નિષ્ફળતાની કહાની જણાવી છે.

IRS

તેમણે કહ્યું કે તે પણ 10માં ફેલ ગયા, પરંતુ પછીથી મુશ્કેલ પરીક્ષાઓ પસાર કરી. મહેસૂલ વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે પોસ્ટ કરાયેલ દેવ પ્રકાશ મીનાએ આ સમાચાર શેર કર્યા અને તેમના અનુભવ વિશે કહ્યું. તેમણે ટ્વીટમાં લખ્યું, ‘કોઈ આ બાળકોને કહો કે હું 10માં એકવાર ફેલ થયો હતો, તે પછી આગળના વર્ષે 43%, 12માં 56% અને બીએ ઓનર્સમાં 48%થી પાસ થયો. અભ્યાસ શરૂ કર્યો તો પહેલા પ્રયાસમાં RAS અધીનસ્થ સેવામાં સિલેક્શન અને પછી UPSCની સિવિલ સેવામાં 3 વાર અંતિમ રૂપથી ચયનિત થયા.

Shah Jina