કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવવામાં આવ્યો છે, સરકાર દ્વારા DAP ખાતરની સબસીડીમાં વધારો કરી દીધો છે. હવે ડીએપી ખાતરની થેલી 2400 રૂપિયાના બદલે ખેડૂતને 1200 રૂપિયામાં મળશે.
આ પહેલા ગયા વર્ષે કેન્દ્ર સરકાર ડીએપી ખાતર ઉપર 500 રૂપિયાની સબસીડી આપતી હતી, અને ખાતરની એક બેગ 1700 રૂપિયામાં મળતી હતી, જેના બાદ સબસીડીમાં વધારો કરીને હવે ખાતરની એક બેગ 1200 રૂપિયામાં ખેડૂતને મળશે.
પ્રાધાનમંત્રી મોદીએ બુધવારના રોજ યોજેલી એક બેઠકમાં જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર મળશે. કેન્દ્ર સરકાર આ માટે સબસિડી પર રૂપિયા 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે.”
PM Modi chaired a high-level meeting on issue of fertiliser prices. He stressed that farmers should get fertilisers at old rates despite the international rise in prices. It was decided that farmers will get a subsidy of Rs 1200/bag of DAP fertiliser instead of Rs 500/bag: PMO pic.twitter.com/6Emun9iYfY
— ANI (@ANI) May 19, 2021