બાંગ્લાદેશના અનુભવી ખેલાડી મુશફિકુર રહીમે વનડેમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશનું પ્રદર્શન નિરાશાજનક હતું અને ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર આવી હતી. બુધવારે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે ફોર્મેટને વિદાય આપી અને હવે મુશફિકુરે પણ વનડે ફોર્મેટ છોડવાનો નિર્ણય કર્યો છે.બાંગ્લાદેશમાં 2025 ના કેન્દ્રિય કરારના વર્ગમાં મુશફિકુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં મુશફિકુરનું પ્રદર્શન નિરાશાજનક હતું અને ભારત અને ન્યુઝિલેન્ડ સામે શૂન્ય અને બે રન બનાવ્યા હતા.
મુશફિકુર તેના પ્રદર્શનને કારણે ટીકાનો સામનો કરી રહ્યો હતો. આ આઈસીસી ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ એક પણ મેચ જીતી શકી નહીં અને સેમિફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઈ હતી. મુશફિકુરે સોશિયલ મીડિયા પરની ભાવનાત્મક પોસ્ટ દ્વારા કહ્યું કે તેણે દેશને આગળ વધારવામાં માટે તેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તેને પડકારોનો પણ સામનો કરવો પડ્યો.મુશફિકુરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, હું આજે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરું છું.
અમારી સિદ્ધિઓ વૈશ્વિક સ્તરે મર્યાદિત હોઈ શકે છે, પરંતુ એક વાત નિશ્ચિત છે, જ્યારે પણ મેં મારા દેશ માટે મેદાન પર પગ મૂક્યો, ત્યારે મેં સમર્પણ અને પ્રામાણિકતા સાથે 100% કરતા વધારે આપ્યું. છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે પડકારજનક રહ્યા છે અને મને સમજાયું કે આ જ મારું ભાગ્ય છે. હું મારા કુટુંબ, મિત્રો અને ચાહકોનો આભાર માનું છું કે જેના માટે હું 19 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું.2005 માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે મુશફિકુરે પ્રવેશ કર્યો હતો.
તેણે તેની વનડે કારકિર્દીમાં એક વર્ષ કરતા ઓછા સમયમાં મોટું નામ મેળવ્યું. 2007 ના વનડે વર્લ્ડ કપ દરમિયાન મુશફિકુરે નાબાદ 56 રન બનાવ્યા, જેનાથી બાંગ્લાદેશ ભારત સામે જીત મેળવી હતી. મશફિકુર બાંગ્લાદેશ માટે સૌથી વધુ વનડે રમતા ખેલાડી તરીકે રિટાયર્ડ થયો હતો. તેણે 36.42 ની સરેરાશથી 274 મેચમાં 7795 રન બનાવ્યા, જેમાં નવ સદી અને 49 હાફ સેન્ચુરીઓનો શામવે થાય છે.
View this post on Instagram


