વચનના પાક્કા છે આનંદ મહિન્દ્રા! નટરાજન, શાર્દૂલ પછી આ ક્રિકેટરને પણ આપી લક્ઝુરિયસ કાર, તો ક્રિકેટરે પણ આ રીતે માન્યો આભાર

એકવાર ફરીથી આનંદ મહિન્દ્રાજીએ પોતાનું વચન પૂર્ણ કર્યું છે, વચનના પાક્કા એવા આનંદજીએ ભારતીય ક્રિકેટર જગતના ખેલાડી એવા મોહમ્મદ સિરાજને પણ ચમચમાતી એસયુવી મહિન્દ્રા થાર ભેંટમાં આપી છે.

Image Source

સિરાજે આ જાણકારી ઇન્સ્ટા અને ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને આપી છે અને આનંદજીનો આભાર માન્યો છે.સિરાજે આભાર માનતા લખ્યું કે,”મારી પાસે આ સુંદર ક્ષણને વર્ણવવા માટે શબ્દો નથો, હું આ સુંદર મહિન્દ્રા થારને મેળવીને ખુબ જ ખુશ છું.

સિરાજે આગળ લખ્યું કે,”આ કાર એક્વા મેરિન રંગની છે. હાલના સમયમાં હું ચેન્નાઇ ક્રિકેટ એકેડેમીમાં આઈપીએલની તૈયારી કરી રહ્યો છું માટે આ શાનદાર ભેંટ લેવા માટે ભાઈ અયાન મિર્જા અને અને માં શબાના બેગમ પહોંચ્યા છે.હું આ બધા માટે તમારો આભાર માનું છું મહિન્દ્રા સર”. સિરાજે શેર કરેલી તસ્વીરમાં નવી ગાડી સાથે તેની માં અને ભાઈ દેખાઈ રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ કુલ 6 ક્રિકેટરોને એસયુવી થાર આપવાનું વચન આપ્યું હતું, જેમાં આગળના દિવસોમાં આનંદજી શાર્દુલ ઠાકુર અને ટી નટરાજનને ગાડી ભેંટમાં આપી ચુક્યા છે.

Krishna Patel