રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો મોટો દીકરો આકાશ અંબાણી હાલમાં જ સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ બપ્પાના દર્શને પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે બ્લૂ ટી શર્ટ સાથે વ્હાઇટ શોર્ટ પેન્ટ પહેર્યુ હતુ. 22 એપ્રિલે મુંબઇ ઇન્ડિયન્સની મેચ પહેલા આકાશ અંબાણીએ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ગણપતિ બપ્પાના આશીર્વાદ લીધા હતા. આ પહેલા આકાશ અંબાણી, પિતા મુકેશ અંબાણી, પત્ની શ્લોકા અને દીકરા પૃથ્વી અંબાણી સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.
જણાવી દઇએ કે, 19 એપ્રિલે મુકેશ અંબાણીએ તેમનો 67મો જન્મદિવસ ઉજવ્યો અને આ ખાસ અવસર પર તેઓ શુક્રવારે સાંજે નાના પુત્ર અનંત અંબાણી સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે બપ્પાના આશીર્વાદ લીધા હતા. જણાવી દઈએ કે આ મંદિર મુંબઈના પ્રભા દેવી વિસ્તારમાં આવેલું છે. બાપ્પાના આશીર્વાદ લેવા માટે દેશ-વિદેશની હસ્તીઓ અહીં આવતી હોય છે.
બોલિવૂડ એક્ટર હોય કે રાજનેતા લગભગ દરેક અહીં બાપ્પાના દર્શન કરવા આવે છે. અંબાણી પરિવારનું પણ આ મંદિર સાથે અતૂટ જોડાણ છે. અંબાણી પરિવારના સભ્યો અવાર નવાર સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેતા જોઈ શકાય છે. અંબાણી પરિવારને બિઝનેસ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ હોય તો તે ધર્મ છે.
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે અંબાણી પરિવારના સભ્યોને ઘણીવાર અલગ અલગ મંદિરોમાં પૂજા કરતા અથવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા જોવામાં આવે છે. સામાન્ય વાતચીતમાં પણ અંબાણી પરિવારના લોકો જય શ્રી કૃષ્ણ બોલીને અભિવાદન કરતા હોય છે. વર્ષ 2023માં મહાશિવરાત્રીના અવસર પર અંબાણી પરિવાર ગુજરાતના સોમનાથ મંદિરે પહોંચ્યો હતો અને ભગવાન શિવના દર્શન કર્યા હતા.
View this post on Instagram