અમદાવાદમાં પરિવારના 4 લોકોની હત્યા કરી દેનારા હત્યારાનું કાવતરું આવ્યું સામે, પત્નીને સરપ્રાઈઝ આપવાના બહાને આંખે પાટા બાંધી અને…

અમદાવાદના ચકચારી ભરેલા હત્યાકાંડની અંદર એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે, પોલીસે ખુબ જ ઝડપી અને પ્રસંશનીય કામગીરી કરીને આરોપી હત્યારાને માત્ર 48 કલાકમાં જ ઝડપી લીધો, જેના બાદ પોલીસ તેની પુછપરછ કરી રહી છે, આ દરમિયાન આરોપીએ ઘણી જ હેરાન કરી દેનારી બાબતો પણ કહી હતી.

આ અંગે વાત કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડીપી ચુડાસમાએ જણાવ્યું કે આરોપી હત્યારાને ઇન્દોરથી અમદાવાદ તરફ આવી રહેલી એસટી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો, હત્યા કર્યા બાદ તે સુરત અને પછી ઇન્દોર તરફ ભાગી ગયો હોવાની તેમને બાતમી મળી હતી, જેના બાદ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું અને તે ઈન્દોરથી અમદાવાદ તરફ પરત આવી રહ્યો હતો ત્યારે જ તેની ધરપકડ કરી લેવામાં આવી.

હત્યા અંગે વાત કરતા ચુડાસમા સાહેબે જણાવ્યું કે હત્યાના દિવસે આરોપીએ પોતાના દીકરાને શ્રીખંડ લેવા માટે મોકલ્યો અને દીકરીને વિમલ ગુટખા લેવા માટે મોકલી જેના બાદ પત્નીને આંખે પાટા બાંધી અને સરપ્રાઈઝ આપવાનું કહી પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા, આ દરમિયાન તેની દીકરી આવી જતા તે બુમાબુમ કરવા લગતા તેની પણ હત્યા કરી નાખી.

થોડી જ વારમાં દીકરો પણ આવી ગયો અને તેને પણ આ જોયું ત્યારે આરોપીએ દીકરાની પણ છરીના ઘા મારીને હત્યા કરી નાખી, ત્યારબાદ તેને તેના વડસાસુને પણ બોલાવ્યા અને તેને એમ હતું કે તેના વડસાસુ તેની પત્નીને ચઢાવ્યા કરે છે, જેના કારણે એ વાતની રીસ રાખી વડ સાસુની પણ છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી.

ત્યારબાદ તેણે તેના સાસુને પણ બોલાવ્યા અને તેમના ગળામાં પણ છરી ઝીંકી દીધી, પરંતુ તેને થોડી રહેમ આવતા તેને સાસુની હત્યા કરી નહિ અને બીજા દિવસે સાસુને તેમના ઘરે મૂકી આવ્યો અને આ અંગે કોઈને જણાવવાનું ના કહ્યું અને ગળામાં થયેલી ઇજા પડી ગયા હોવાના કારણે થઇ હોવાનું કહ્યું હતું, જે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

અધિકારીએ એમ પણ જણાવ્યું કે હત્યારા વિનોદ મરાઠીને તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોની જાણ થઇ ગઈ હતી, જેના કારણે તે તેના ઉપર ગુસ્સે હતો અને તેની હત્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું. હત્યા કર્યા બાદ તે એક્સપ્રેસ હાઇવેથી સુરત ચાલ્યો ગયો અને ત્યાંથી તે ઇન્દોર ગયો ત્યારે તેને યાદ આવ્યું કે તેની પત્નીનું મંગળસૂત્ર તેની પાસે છે અને તેને વેચીને પત્નીના પ્રેમીની પણ હત્યા કરી નાખીશ, જે ઇરાદે તે પરત અમદાવાદ આવી રહ્યો હતો અને ત્યારે જ તેની ધરપકડ કરી લેવામાં આવી.

Niraj Patel