શું મૃત્યું પછી પણ ફરી જીવતો થઈ શકે છે મનુષ્ય, જાણો શું કહે છે વિજ્ઞાન

જીવન અને મરણને લગતા પ્રશ્નો અંગે દરેકને ઉત્સુકતા હોય છે. ઘણા એવા સવાલો છે જેના કોઈ નક્કર જવાબ આજ સુધી મળ્યા નથી. રહસ્યવાદીઓ તેને પોતાની રીતે વ્યાખ્યાયિત કરે છે. તે જ સમયે, વિજ્ઞાનની પોતાની રીત છે, જે મુજબ તે વસ્તુઓને વ્યાખ્યાયિત કરે છે. અત્યાર સુધી દેશમાં આવા ઘણા કેસ નોંધાયા છે, જેમાં વ્યક્તિ મૃત્યુ પછી જીવંત થયો હોય. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોએ તેમના મેડિકલ રિપોર્ટમાં તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે, આ કેસોમાં કેટલું સત્ય અને કેટલું ખોટું છે? આ ચર્ચાનો વિષય છે.

આવી સ્થિતિમાં એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે શું વ્યક્તિ મૃત્યુ પછી ફરી જીવંત થઈ શકે છે? કદાચ આ આશા સાથે કેટલાક લોકોએ છેલ્લી અડધી સદીથી તેમના મૃતદેહોને ક્રાયોજેનિક ટેન્કરોમાં ફ્રીઝ કરાવીને રાખ્યા છે. આ સંબંધમાં, આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે શું કોઈ વ્યક્તિ મૃત્યુ પછી પણ જીવંત થઈ શકે છે? અને વિજ્ઞાન આ પ્રશ્નને કેવી રીતે જૂએ છે?
તમને જણાવી દઈએ કે માનવ શરીર જૈવિક પ્રક્રિયા પર આધારિત છે. આપણું શરીર કેવી રીતે કાર્ય કરે છે તે જાણતા પહેલા, આપણે તેના કાર્યને સમજવું જોઈએ. આપણા કોષોની અંદર અનેક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. આ પ્રતિક્રિયાઓમાં ATP નામની ઉર્જાનું ખૂબ મહત્વ છે. આપણા શરીરના કોષો આ વૃદ્ધિ, પ્રજનન અને સમારકામ માટે આ ATP ની ઉર્જાનો ઉપયોગ કરે છે.

જો કે, જ્યારે કોષો એન્ટ્રોપીને કારણે નબળા પડી જાય છે, ત્યારે શરીર નબળું પડવા લાગે છે. આને કારણે આપણી શારીરક કામગીરી અટકી જાય છે. આ કિસ્સામાં વ્યક્તિ મૃત્યુ પામે છે. જો આ આધારે જોવામાં આવે, તો આપણું મૃત્યુ ત્યારે થાય છે જ્યારે શરીરની અંદરના કોષો નબળા પડી જાય છે. તે પછી થાય છે. કોષો નબળા થવાને કારણે શરીરની જટિલ પ્રક્રિયા પણ અટકી જાય છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું શરીર મરી ગયા પછી પણ વ્યક્તિને પુનર્જીવિત કરી શકાય છે? જો કે, આનો જવાબ ચોક્કસ હા કે નામાં આપી શકાતો નથી. કારણ કે વિજ્ઞાન પણ શક્યતાઓની શોધ પર ચાલે છે. અત્યાર સુધી આપણી વૈજ્ઞાનિક શોધોમાં એવી કોઈ પદ્ધતિની શોધ કરવામાં આવી નથી, જે શરીરના કોષોને નવજીવન આપી શકે અને વ્યક્તિને ફરી જીવંત બનાવી શકે. અનુમાન લગાવી શકાય છે કે ભવિષ્યમાં આપણે એવી વસ્તુની શોધ કરી શકીએ છીએ જે બંધ પડેલા શરીરને ફરીથી જાળવી રાખીને તેને પુનર્જીવિત કરી શકે.

આ આશામાં ઘણા લોકો, તેમના મૃત્યુ પછી તરત જ, તેમના શરીરને ક્રાયોજેનિક ટેન્કરમાં સંગ્રહિત કરી રહ્યા છે આ આશામાં કે કદાચ તેઓ ભવિષ્યમાં કયારેક ફરી જીવંત થઈ શકે. આ ક્રાયોજેનિક ટેન્કર્સમાં વ્યક્તિના શરીરની અંદરના કોષો જામી જાય છે. ભવિષ્યમાં, જો કોઈ નવી શોધ વિકસાવવામાં આવે, જે નેનોબોટ્સની મદદથી તેમના કોષોને ફરીથી રિપેર કરી શકે, તો પછી આવનારા સમયમાં કદાચ તેમને પુનર્જીવિત કરી શકાય.

હવે અહીં બે વિચારોનો સંઘર્ષ છે. જો આપણે જીવન વિશે વિજ્ઞાનના આ ખ્યાલ પર નજર કરીએ, તો ચેતના અને અસ્તિત્વ જેવી કોઈ વસ્તુ નથી. આપણે માત્ર એક જટિલ શારરિક બંધારણ દ્વારા જીવંત છીએ. બીજી બાજુ, રહસ્યવાદીઓ અને ધર્મ અનુસાર, વ્યક્તિના અસ્તિત્વ પાછળ ચેતનાનો મહત્વનો ફાળો છે. હવે સત્ય શું છે? અમને આજ સુધી આ ખબર નથી. વિજ્ઞાન અને રહસ્યવાદીઓ તેને પોતાની રીતે વ્યાખ્યાયિત અને શોધ કરી રહ્યા છે.

Patel Meet