66માં જન્મદિવસ પર મુકેશ અંબાણી દીકરા આકાશ સાથે પહોંચ્યા સિદ્ધિવિનાયક મંદિર, બપ્પાનો લીધો આશીર્વાદ

બે હાથ જોડીને મુકેશ અંબાણીને ભગવાન પાસે પ્રાર્થના કરી, વાહ આને કહેવાય સંસ્કાર, જુઓ વીડિયો

દેશના અને એશિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક એવા મુકેશ અંબાણીએ હાલમાં જ પોતાનો 66મો જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન તેઓ સિદ્ધિવિનાયક મંદિર બપ્પાનો આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને આ સમયે તેમની સાથે આકાશ અંબાણી પણ જોવા મળ્યો હતો. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખૂબ જ આધ્યાત્મિક છે અને પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવામાં માને છે.

થોડા સમય પહેલા જ તેઓ અનેક મંદિરોમાં સ્પોર્ટ થયા હતા અને તેમણે કરોડો રૂપિયાનું દાન પણ કર્યું હતું. મુકેશ અંબાણી 19 એપ્રિલ 2023ના રોજ 66 વર્ષના થયા. ત્યારે હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરતા જોઈ શકાય છે. તેમણે સફેદ કુર્તા સાથે બ્રાઉન સ્લીવલેસ જેકેટ પહેર્યું હતું.

જ્યારે આકાશ અંબાણીએ ગ્રે ટી-શર્ટ પહેરી હતી. ઈન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોએ મુકેશ અંબાણીના વખાણ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું, “બાળકો જન્મદિવસ પર પાર્ટીઓમાં જાય છે, અનુભવીઓ મંદિરોમાં જાય છે.” બીજાએ લખ્યું, “કદાચ ભગવાનજી પાસેથી બધું મેળવવાનું ષડયંત્ર છે.” એક યુઝરે એમ પણ લખ્યું કે, “ભગવાને જે આપ્યું છે તે તે મોટાભાઈ ક્યારેય ભૂલતા નથી.”

ગયા વર્ષે મુકેશ અંબાણીએ કેરળના ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરની મુલાકાત લીધી હતી. તે સમયે તેમની સાથે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી. તેણે વાદળી બાંધણી સૂટ પહેર્યો હતો.મુકેશ અંબાણીએ મંદિરને અન્નદાનમ માટે રૂ. 1.5 કરોડનું દાન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina