રિઝર્વ બેંકે રેપો રેટમાં સતત ત્રીજીવાર કર્યો વધારો, જાણો કેટલી વધશે હોમ લોન અને કાર લોનની EMI

કેન્દ્રીય રિઝર્વ બેંકે આજે એટલે કે 5 ઓગસ્ટ 2022ના રોજ નીતિગત વ્યાજ દરોમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. તે બાદ રેપોરેટ 4.9%થી વધી 5.4% થઇ ગયો છે. રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસે ઘોષણામાં કહ્યુ કે, અમે ઉચ્ચ મુદ્રાસ્ફીતિની સમસ્યાથી ગુજરી રહ્યા છે અને વિત્તીય બજાર પણ અસ્થિર છે. વૈશ્વિક અને ઘરેલુ પરિદ્દશ્યોને જોતા મૌદ્રિક નીતિ સમિતીએ બેંચમાર્ક રેટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, આ પહેલા મે મહિનામાં RBIએ રેપો રેટમાં 0.40 ટકા અને જૂનમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ પછી રેપો રેટ 4.90 ટકા હતો, જે હવે વધીને 5.4% થઇ ગયો છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ સમયે વૈશ્વિકરણ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા માહોલની અસર ઉભરતા બજારો પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની બદલાતી પરિસ્થિતિઓથી ભારતીય અર્થતંત્ર પણ અસ્પૃશ્ય નથી અને દેશમાં ફુગાવાની ચિંતા યથાવત છે. દેશના નિકાસ અને આયાત ડેટામાં ફેરફારની અસર ચાલુ ખાતાની ખાધની નિર્ધારિત મર્યાદામાં રહેવાની અપેક્ષા છે.

શક્તિકાંત દાસે કહ્યું કે આઈએમએફથી લઈને આઈએમએફ સુધીની ઘણી સંસ્થાઓએ આપણી અર્થવ્યવસ્થાના ઝડપી વિકાસની આગાહી કરી છે અને તે સૌથી ઝડપી ગતિએ વધશે. રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ દ્વારા બેંકોને લોન આપવામાં આવે છે અને બેંકો આ લોનમાંથી ગ્રાહકોને લોન આપે છે. રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી થાપણો પર વ્યાજ મેળવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકમાંથી અનેક પ્રકારની લોન મોંઘી થઈ જશે.

રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અંગેનો નિર્ણય મોનેટરી પોલિસી કમિટિ એટલે કે MPCની ત્રણ દિવસીય બેઠકમાં જ લેવામાં આવે છે. રિઝર્વ બેંકના MPCમાં 6 સભ્યો હોય છે, જેમાંથી 3 સભ્યો સરકારના પ્રતિનિધિઓ હોય છે. બાકીના 3 સભ્યો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં RBI ગવર્નરનો પણ સમાવેશ થાય છે.

Shah Jina