“તારક મહેતા”ની આ અભિનેત્રીએ કર્યો એવો ખુલાસો કે પગ નીચેથી જમીન સરકી જશે

“તારક મહેતા” અભિનેત્રીએ કહ્યું અમે એક રૂમમાં બેસીને…કાસ્ટિંગ કાઉચનો ખુલાસો જાણીને ફેન્સને આઘાત લાગશે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે.

આ શોમાં થોડા સમયથી ઘણા બદલાવ આવ્યા છે. થોડા સમય પહેલા જ કેટલીક અભિનેત્રીઓની આ શોમાં એન્ટ્રી થઇ હતી, જયારે શોનું શુટિંગ ગુજરાતના એક શાનદાર રિસોર્ટમાં ચાલી રહ્યુ હતુ. ત્યારે જ શોમાં એક અભિનેત્રી હતી આરાધના શર્મા. આરાધનાએ તેના અભિનયથી અને તેની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતી લીધુ હતુ.

સ્પિલિટ્સવિલા 12ની એક્સ કંટેસ્ટેંટ આરાધના શર્મા તારક મહેતામાં સામેલ થઇ ત્યારે તેને ઘણી પોપ્યુલારિટી અને પ્રેમ મળ્યો હતો. પરંતુ શું તમે જાણો છે કે શોમાં જાસૂસ બનેલી આરાધનાએ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે.

ઘણા ઓછા સમયમાં આરાધનાએ ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી લીધી છે. આ લોકપ્રિયતા તેના માટે સરળ ન હતી. આરાધનાને મોટો બ્રેક મળ્યા પહેલા તેને પૂર્વાગ્રહ અને કાસ્ટિંગ કાઉચનો સામનો  કરવો પડ્યો.

હિંદુસ્તાન ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, હાલમાં જ આરાધનાએ આપેલ ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યુ કે, 19 વર્ષની ઉંમરમાં તે કાસ્ટિંગ કાઉચનો શિકાર  થઇ હતી. આ ઘટના બાદથી તેને પુરુષો પર વિશ્વાસ કરવામાં થોડી સમસ્યા પણ  થવા લાગી હતી.

આ ઘટના વિશે આરાધનાએ કહ્યુ કે, આ એક એવી ઘટના છે, જેને હું જીવનભર ભૂલાવી શકતી નથી. 4-5 વર્ષ પહેલાની વાત છે, જયારે હું પૂણેમાં રહીને અભ્યાસ કરી રહી હતી. હું પૂણેમાં મોડલિંગ કરી રહી હતી, ત્યારે મને ખબર પડી કે એક વ્યક્તિ મુંબઇમાં થનાર કોઇ પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ કરી રહ્યા છે.

તેણે આગળ કહ્યુ કે, એ સમયે હું મારા હોમ ટાઉન રાંચી ગઇ કારણ કે કાસ્ટિંગ સાથે જોડાયેલ  વાતચીત માટે મને ત્યાં બોલાવવામાં આવી. અમે એક રૂમમાં બેસી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા અને એ વ્યક્તિએ મને ખોટી રીતે અડવાની કોશિશ કરી, પહેલા તો મને ખબર ના પડી કે આ શું થઇ રહ્યુ છે.

તેણે આગળ આ ઘટના વિશે કહ્યુ કે, મને બસ એ જ યાદ હતુ કે મેં તેને ધક્કો માર્યો અને ત્યાંથી ફરાર થઇ ગઇ. હું આ ઘટનાને કોઇ સાથે શેર ન કરી શકી કારણ કે આ સાચે ઘણુ ખરાબ હતું. તેણે જણાવ્યુ કે આ ઘટનાનો તેના પર ઘણો પ્રભાવ પડ્યો હતો.

આરાધનાએ કાસ્ટિંગ કાઉચના  તેના જીવન પર પડેલ પ્રભાવનો ઉલ્લેખ કરતા કહ્યુ  કે, એ ઘટનાનો મારા પર એવો પ્રભાવ પડ્યો કે હું મારા પિતા સાથે પણ એક રૂપમાં નથી રહી શકતી. આ મારી સાથે થયુ ત્યારે હું માત્ર 19-20 વર્ષની હતી.

Shah Jina