જવાન દીકરીના કહેવા પર 71 વર્ષની ઉંમરે પિતાએ બીજીવાર કર્યા લગ્ન, 5 વર્ષ પહેલા મરી ગઇ હતી પત્ની

પત્નીની મોતના 5 વર્ષ પછી 71 વર્ષિય વ્યક્તિએ કર્યા બીજીવાર લગ્ન, દીકરીએ શેર કરી દિલને સ્પર્શી જાય તેવી તસવીર- જુઓ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ પોસ્ટ વાયરલ થાય છે. આ દિવસોમાં એક આવી જ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં 71 વર્ષના એક વ્યક્તિએ તેની પત્નીની મોતના પાંચ વર્ષ પછી એક મહિલા સાથે લગ્ન કર્યા છે. યુઝર્સ આ ટ્વિટને ખૂબ પસંદ કરી રહ્યા છે. વૃદ્ધે આ લગ્ન એક વિધવા મહિલા સાથે કર્યા હતા. આ વ્યક્તિની દીકરી અદિતિએ મંગળવારના રોજ ટ્વિટર પર બંનેના લગ્નની તસવીર શેર કરી હતી. ત્યારબાદ આ પોસ્ટ વાયરલ થઈ ગઇ હતી. મોટી સંખ્યામાં લોકો અદિતિના પિતાને ફરીથી લગ્ન કરવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

અદિતિએ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં કહ્યુ હતુ કે, આ મારા 71 વર્ષીય પિતા છે, 5 વર્ષ સુધી વિધુર રહ્યા બાદતેમણે ફરીથી લગ્ન કર્યા અને તે પણ બીજી વિધવા સાથે. હું હંમેશા ઇચ્છતી હતી કે તે બીજા લગ્ન કરે કારણ કે કોઈ પણ સિંગલ રહેવાને લાયક નથી.” તેણે વધુમાં ઉમેર્યું કે આ મામલો એટલો સરળ નથી. ભારતમાં બીજા લગ્ન માટે કોઈ સીધો અને સપાટ કાયદો નથી. અમને ખબર નથી કે સમાજ બંનેને કેવી રીતે સ્વીકારશે. અમને હજુ પણ ખબર નથી કે બંને એકબીજા સાથે સુસંગત હશે કે નહીં.

આ તસવીર શેર કર્યા બાદ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઇ હતી અને તેને હજારો લાઈક્સ મળી. સોશિયલ મીડિયા યુઝર્સ નવવિવાહિત કપલ ​​પર પોતાનો પ્રેમ ઠાલવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “મને ખુશી છે કે તમારા પિતાએ ફરીથી લગ્ન કર્યા છે. હું માનું છું કે દરેક વ્યક્તિને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે. જે લોકોનું ધ્યાન રાખે છે. પરંતુ તેઓએ એકબીજાને સ્વીકારવું પડશે કારણ કે તેઓએ એકબીજાને જોયા નથી.” લગ્ન કરવા માટે સંમત થયા. તેઓએ એકબીજાને મદદ કરવી પડશે, લોકોને નહીં.”

Shah Jina