BREAKING : 4 દિવસથી ગુમ થયેલી સગીરાની લાશ આસારામ બાપુના આશ્રમમાંથી મળી, આખો આશ્રમ પર લેવાનો એક નિર્ણય

આસારામ બાપુ અને તેમના આશ્રમ સાથે જોડાયેલા વિવાદો થમવાનું નામ જ નથી લઇ રહ્યા, ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને ફરીવાર આસારામ બાપુના આશ્રમને વિવાદોમાં ધકેલી દીધો છે, પોતાના ઘરેથી ચાર દિવસથી ગુમ થયેલી એક સગીરાની લાશ આસારામના આશ્રમમાં ઉભેલી કારમાંથી મળી આવતા ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના ગોંડામાં આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી 13 વર્ષની સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે અને ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી છે. મૃતદેહ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે.

જાણવા મળી રહ્યું છે કે આ સગીરા 4 દિવસ પહેલા તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, જેની લાશ આસારામ બાપુના આશ્રમમાં ઘણા દિવસોથી પાર્ક કરેલી કારમાંથી મળી આવી હતી. કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના સ્ટાફે કાર ખોલી તો અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર સિવાય આખા આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો મામલો હોવાનું જણાય છે. ઘટના નગર કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં સ્થિત આસારામ બાપુના આશ્રમની છે, જ્યાં આ કાર છેલ્લા ઘણા દિવસોથી પાર્ક હતી.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર અને આશ્રમને સીલ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ આશ્રમ અને વાહનની તપાસ કરી રહી છે.

Niraj Patel