શું તમે જાણો છો સ્વર સામ્રાજ્ઞી લતા મંગેસકરને આપવામાં આવ્યું હતું ઝેર?

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો થોડા દિવસ પહેલા જન્મદિવસ હતો, તેણે પોતાનો 92મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે દેશ અને દુનિયાના લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ આજે અમે તેમના જીવન સાથે સંબંધિત એક કિસ્સો તમારી સમક્ષ લાવ્યા છીએ, જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. અમે કહી શકીએ કે આ કિસ્સો સાંભળ્યા પછી, તમે ચોક્કસપણે આશ્ચર્ય પામશો. તમે આશ્ચર્ય પામશો કે કોઈ તે કેવી રીતે આવુ કરી શકે. ખરેખર, આ વાત 1963 ની છે, જ્યારે કોઈએ લતા દીદીને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો. લતા દીદીએ ખુદ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો હતો.

લતા મંગેશકર કહે છે કે, આ તેમના જીવનનો એક એવો કિસ્સો છે કે મંગેશકર પરિવાર બિલકુલ યાદ રાખવા માંગતો નથી. તે યાદ કરવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે વર્ષ 1963 માં તેણીને ખૂબ નબળાઈ લાગવા લાગી. હાલત એવી થઈ ગઈ હતી કે તે પથારીમાંથી જાતે પણ ઉઠી શકતી ન હતી. લતા દીદી, આ આખો ડરામણો કિસ્સો શેર કરતી વખતે કહે છે કે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે તેને ધીમે ધીમે ઝેર આપવામાં આવી રહ્યું છે.

તેમણે આગળ કહ્યું કે તેને આમાંથી સાજા થવામાં ત્રણ મહિના લાગ્યા હતા, ત્યારબાદ તે ફરીથી પોતાના કામ પર પરત આવી. લતા દીદીએ આગળ કહ્યું કે તેણે ડોક્ટરોને પૂછ્યું કે શું આ કારણે તે પોતાનો અવાજ તો નહીં ગુમાવી દે ને?. પરંતુ ભગવાનનો આભાર કે કોઈ પમ ડોક્ટરોઓ કહ્યું નહીં કે તે ફરીથી ગાય નહીં શખે. જે બાદ લતા દીદી પોતાના કામ પર પરત ફર્યા અને ધીમે ધીમે નવી ઉંચાઈઓને સ્પર્શી. તમે કલ્પના કરી શકો છો કે જો એવું થયું હોત કે લતા દીદી આગળ ગાવા માટે સક્ષમ ન હોત, તો આજે આપણે તેમના ગીતો સાંભળી ન શકીત.

લતા દીદીએ આગળ કહ્યું કે જ્યારે તે ત્રણ મહિનાના બેડ રેસ્ટ બાદ કામ પર પાછી આવી ત્યારે સંગીતકાર હેમંત કુમારે તેને પ્રથમ તક આપી હતી. તમને જણાવી દઈએ કે આ માટે તેમણે લતા દીદીની માતા પાસેથી પરવાનગી લીધી હતી કે તેઓ આ શરતે ગીત રેકોર્ડ કરશે કે લતા જીને કોઈ પણ પ્રકારનું દુખ ન હોવું જોઈએ. હવે લોકોના મનમાં સવાલ આવતો જ હશે કે આખરે લતા દીદી સાથે આવું કોણ કરી શકે છે, તો પછી તમને જણાવી દઈએ કે આવું કૃત્ય કોણે કર્યું તે જાહેર થઈ શક્યું નથી.

તમને જણાવી દઈએ કે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. લતા દીદીએ માત્ર 1000થી વધુ ગીતોમાં હિન્દી ભાષામાં ગાયા છે. તેમને 1989 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય વર્ષ 2001 માં તેમને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.નાગરિક સન્માન ‘ભારત રત્ન’ એનાયત કરાયો હતો.

લતા દીદીએ સંગીતની દુનિયામાં નવા રેકોર્ડ બનાવ્યા છે. વાસ્તવિક જીવનમાં પણ તે ખૂબ જ સરળ અને મોટા દિલના હતા. તેણીએ તેની નાની બહેનોના શિક્ષણ માટે પોતાનો અભ્યાસ છોડી દીધો. લતા મંગેશકરે પહેલેથી જ તેના પિતા સાથે મરાઠી સંગીત નાટકોમાં કામ કર્યું હતું અને 14 વર્ષની ઉંમરે તેણે મોટા શો અને નાટકોમાં અભિનય શરૂ કર્યો હતો.

YC