કહેવાય છે ને કે પ્રેમને કોઈ સીમા નથી હોતી પ્રેમ આંધળો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બસખારી વિસ્તારના પ્રતાપપુર બેલવરિયા ગામથી જી હા, ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં 52 વર્ષિય મહિલાએ 30 વર્ષિય યુવક સાથે લગ્ન કર્યા છે. ચાર બાળકોની માએ ગામના જ યુવક સાથે પ્રેમ થયો. કહેવાય છે કે, પ્રેમી યુવક મહિલાને સંબંધમાં પૌત્ર થાય છે. બંનેએ ગોવિંદ સાહેબ મંદિરમાં જઈને લગ્ન કર્યા છે. લગ્ન કર્યા બાદ બંને ગામ છોડી નીકળી ગયા. આ લગ્ન હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો 52 વર્ષિય ઈન્દ્રાવતીના લગ્ન 20 વર્ષ પહેલા પ્રતાપપુર બેલવરિયાના રહેવાસી ચંદ્રશેખર આઝાદ સાથે થયા હતા. એક છોકરી અને બે છોકરા પણ થયા. ચંદ્રશેખર આઝાદ સાથે તેમના બીજા લગ્ન હતા. આ અગાઉ થયેલા લગ્નથી ઈન્દ્રાવતીને એક છોકરી પણ હતી. આ છોકરીના લગ્ન પણ તેમણે ચંદ્રશેખર સાથે લગ્ન થતાં પહેલા કરી નાખ્યા હતા. થોડા વર્ષ બાદ ઈન્દ્રાવતી ગામના જ યુવક જે 30 વર્ષનો છે, તેના પ્રેમમાં પડી ગઈ. ગામના લોકોનું કહેવું છે કે એક જ ગામમાં અને એક જ જાતિના હોવાના નાતે બંને દાદી અને પૌત્ર જેવો સંબંધ થાય છે.
બે દિવસ અગાઉ આ મામલો પોલીસ ચોકી લહટોરવા સુધી પણ પહોંચ્યો હતો. પરંતુ પરિવારે સમાજના ડરથી બંનેના ગોવિંદ સાહેબ મંદિરમાં જઈને લગ્ન કરાવી દીધા. લગ્નની જાણ થતાં બંનેના પરિવારે તેમને સમાજમાં બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. બંને સાથે સંબંધ રાખનારા સાથે ગામ લોકો પર 5000નો દંડ લાગશે. તેથી બંને ગામ છોડીને અન્ય જગ્યાએ રહેવા નીકળી ગયા છે.
આ અંગે ચંદ્રશેખરે જણાવ્યું કે, “મારી પત્નીને લઈને મારા જ ગામનો યુવક આઝાદ ભાગી ગયો છે. તે છોકરો મારી પત્નીનો પૌત્ર થાય છે. મેં પરમ દિવસે બંનેને વાત કરતા જોયા હતા. ત્યારથી મને તેમના વચ્ચે આડા સંબંધો હોવાની જાણ થઈ. બંને રાજી હતા. હવે હું મારી પત્નીનું બેસણું કરીશ. મારા ચાર બાળકો છે. તે મારા માટે મરી ગઈ છે. તેણે ત્રીજા લગ્ન કર્યા છે. હવે હું પોલીસમાં પણ ફરિયાદ નહીં કરુ.” તિએ જણાવ્યું કે, તે પોતાની પત્નીનું બેસણું કરશે.