વર્ષ 2024માં રાહુ નહિ કરે રાશિ પરિવર્તન, મીન રાશિમાં રહી આ 3 રાશિઓને કરશે માલામાલ- જાણો તમારી રાશિ તો નથી ને…

નવું વર્ષ દસ્તક દેવાનું છે, દરેક વ્યક્તિ વિવિધ ગ્રહો અનુસાર તેમની રાશિની અસર જાણવા માંગે છે. ગ્રહોની વાત કરીએ તો રાહુ વર્ષ 2024માં પોતાની રાશિ બદલશે નહીં. રાહુ વર્ષ 2024માં પણ મીન રાશિમાં ગોચર કરશે. દિવાળી પહેલા રાહુએ મીન રાશિમાં ગોચર કર્યું હતું અને હવે રાહુ આખું વર્ષ મીન રાશિમાં જ રહેશે. રાહુનું આ સંક્રમણ વિવિધ રાશિઓને અસર કરશે, પરંતુ સૌથી વધુ અસર ત્રણ રાશિઓ કન્યા, તુલા અને મેષને કરશે. વાસ્તવમાં રાહુનો જોડીદાર કેતુ કન્યા રાશિમાં છે.

રાહુનું પરિવર્તન ત્રણેય માટે ખૂબ જ શુભ રહેશે. કેતુ હોવા છતાં રાહુ કન્યા રાશિના લોકોને આર્થિક લાભ આપી રહ્યો છે. કન્યા રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. આ રાશિના લોકોને વિશેષ આશીર્વાદ મળે છે. ત્યાં ગુરુ આ રાશિમાં પહોંચશે ત્યારે રાહુ વૃષભ રાશિના લોકોને લાભ પ્રદાન કરશે. જ્યારે ગુરુ મેષ રાશિમાંથી વૃષભમાં જશે, ત્યારે આ રાશિના લોકોના બગડેલા કામમાં સુધારો થશે, નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. તુલા રાશિના લોકો માટે પણ રાહુ તણાવ ઓછો કરશે અને આધ્યાત્મિક લાભ આપશે.

કન્યા : રાહુનો જોડીદાર કેતુ કન્યા રાશિમાં છે, તો પણ તે કન્યા રાશિનાં જાતકોને ધન લાભ કરાવશે. આ વર્ષે કન્યા રાશિનાં જાતકોને ધન લાભ થઈ શકે છે અને આ રાશિનાં જાતકો પર વિશેષ કૃપા રહેશે.

વૃષભ : આ રાશિનાં જાતકોને લાભ પ્રદાન થશે, બગડેલા કામમાં સુધારો થશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.

તુલા : તણાવ ઓછો થશે, આધ્યાત્મિક લાભ થશે. વર્ષ 2024માં રાહુનું મીન રાશિમાં સંક્રમણ કેટલીક રાશિનાં જાતકો માટે સારું સાબિત થશે.

(નોંધ : ઉપરોક્ત માહિતી જાણકારી અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina