અમિત કુમાર બાદ હવે ગાયિકા સુનિધિ ચૌહાણે પણ ખોલી નાખી રિયાલિટી શોની પોલ, જણાવ્યું શો જજ ના કરવાનું કારણ

સુનિધિ ચૌહાણે કર્યો ઇન્ડિયન આઇડલ 12નો ભંડાફોડ, જણાવ્યું બધો આનો ખેલ છે

તાજેતરમાં જ સિંગિગ  રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ ૧૨”ના કિશોર કુમારના સ્પેશ્યલ શો પર ઘણા વિવાદ થયા હતા. કિશોર કુમારના પુત્ર અમિત કુમારે આ શોની આકરી ટીકા કરી હતી. હવે આ શોની પહેલી સિઝનના વિજેતા અભિજિત સાવંતે રિયાલિટી શોને ટાર્ગેટ બનાવ્યો છે.

સિંગિંગ રિયાલિટી શો’ઇન્ડિયન આઇડલ 12′ છેલ્લા ઘણા દિવસોથી સતત વિવાદોમાં ફસાયો છે. આ શોની ઇન્ટરનેટ પર ઘણી ટીકા થઈ રહી છે. હવે ઈન્ડિયન આઇડલના પ્રથમ સીઝનના વિજેતા અભિજિત સાવંતે પણ આ શોની ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મેકર્સ સ્પર્ધકોની પ્રતિભા કરતા તેમના દર્દ ભરેલી વાર્તાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

અભિજીત સાવંતે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “આજકાલ, નિર્માતાઓને  રસ વધુ એમાં છે કે શું ભાગ લેનાર જૂતા પોલિશ કરી શકે છે અથવા તે કેટલો ગરીબ છે ના કે તેની પ્રતિભાથી. તમારે પ્રાદેશિક રિયાલિટી શો બતાવો જોઈએ જ્યાં દર્શકોને તેમના પસંદના લોકોનું ભૂતકાળ વિશે કંઇ ખબર ન હોય. તેમનું ધ્યાન ફક્ત ગાયન પર જ હોય”

અભિજિતએ વધુમાં કહ્યું કે “પરંતુ હિન્દી રિયાલિટી શોમાં સ્પર્ધકોની દુઃખ ભરેલી વાર્તા બતાવવામાં આવે છે.તેમનુ ધ્યાન ફક્ત તેના પર જ છે.અભિજિતે તેના સમયનો દાખલો આપ્યો જ્યારે તે શોમાં પરફોર્મ કરતી વખતે કોઈ ગીત ભૂલી ગયો. તેમણે કહ્યું, જજ એકબીજાની વચ્ચે નિર્ણય કર્યો કે મને વધુ એક તક આપવામાં આવે.”

આ સ્ટોરી વાયરલ થઇ તો લોકો SOCIAL MEDIA પર કમેન્ટ કરી રહ્યા છે કે 100% સાચી વાત છે કોઇ એક ગરીબને પકડશે અને એનો વીડિયોને વારંવાર બતાવશે અને અસલી હકદાર એ વિજેતા બનતા વંચિત રહી જતા હોય છે આ શો માંથી બહાર થઈ ગઈ શિરીસા એ સુંદર અવાજની માલિકી ધરાવે છે

એના માટે ચેનલે ગરીબીનો કોઇ વિડિઓ શેર નથી કર્યો પણ એ શો જીતવાની હકદાર હતી અને જજમાં બેઠેલા ત્રણેય જણાએ એના માટે કોઇ સહાનુભૂતિ નહીં બતાવી એનો મતલબ કે ગરીબ હોઉં બહુ જરૂરી છે તો જ શો માં ટકી રેહવાઈ રિયાલિટી શોને લઈને ઘણીવાર ઘણા સવાલો લોકોના મનમાં ઉભા થતા આપણે જોઈએ છીએ. ત્યારે હાલમાં એવો જ એક રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ પણ વિવાદોમાં સપડાઈ ગયો છે. આ શોને લઈને વિવાદ રોકાવવાનું નામ જ નથી લઇ રહ્યો.

પરંતુ સતત આ શોનો ભાંડો ફૂટી રહ્યો છે. પહેલા કિશોર કુમારના દીકરા અમિત કુમારે આ શોને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા, ત્યારબાદ સીઝન 1ના વિજેતા અભિજીત સાવંત દ્વારા નિશાન સાધવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તે કલાકારોની પ્રતિભા ભૂલી તેમની ગરીબી ઉપર ધ્યાન આપે છે. ત્યારે હવે સુનિધિ ચૌહાણ પણ આ શોને લઈને કેટલાક ખુલાસા કરી રહી છે.

સીઝન 5 અને 6ની જજ રહી ચુકેલી સુનિધિ ચૌહાણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સિંગિંગ રિયાલિટી શોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ગાયિકાનું કહેવું છે કે તેને પ્રતિસ્પર્ધીની પ્રસંશા કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે તેને કહ્યું હતું કે આ બધું તે નથી કરી શકતી. જેના બાદ તેને આ શોમાંથી અલગ થવું પડ્યું હતું.

એક મીડિયા સાથેની વાતચીતમાં સુનિધીએ ઇન્ડિયન આઇડલનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે હું એ ના કરી શકી જે તે ઇચ્છતા હતા. આજે હું કોઈપણ રિયાલિટી શો જજ નથી કરી રહી. તેને હાલમાં ઇન્ડિયન આઇડલ 12 ઉપર ચાલી રહેલા વિવાદોને લઈને જણાવ્યું હતું કે નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીને પ્રતિસ્પર્ધીને યોગ્ય કરતા નથી સાંભળ્યા. સકારાત્મક આલોચના સાથે જજ કરવાનું તો છોડી જ દો.

સુનિધીએ જણાવ્યું હતું કે “ટીવી ઉપર બતાવવામાં આવેલી તેમની કહાનીના કારણે તેમને રાતો રાત પ્રસંશા મળી જાય છે. પરંતુ તેના કારણે તેમનામાં સફળ બનવાની ભૂખ ખતમ થઇ જાય છે. હા, તેમાંથી કેટલાક મહેનત કરે છે. પરંતુ છતાં પણ ઝડપી મળેલી ખ્યાતિ તેમના ઉપર માનસિક રીતે અસર કરે છે. તેમાં પ્રતિસ્પર્ધીની કોઈ ભૂલ નથી. આ બધું જ ટીઆરપીના નામ ઉપર થઇ રહ્યું છે.”

Niraj Patel