અદભૂત! આ પૂજારીનો અવાજ સાંભળીને પાણીમાંથી ટપોટપ બહાર આવે છે મગરમચ્છ

શું જંગલી પ્રાણીઓ સાથે મિત્રા થઈ શકે? જો કે સામાન્ય રીતે મગર લોકોને પસંદ હોય છે. પરંતુ દરેક જણ તેમને દૂરથી જોવાનું પસંદ કરે છે. તેના જબરદસ્ત હુમલા અને જડબા માટે જાણીતા મગર સાથે કોઈ દોસ્તી કેવી રીતે થઈ શકે. પરંતુ મંદિરના એક પૂજારી છે. તેનું નામ સીતારામ દાસ છે, તેમને મગર સાથે દોસ્તી છે.

(પ્રતીકાત્મક તસવીર)

બહાર આવીને બેસી જાય છે:
છત્તીસગઢના કોટમી સોનારમાં એક તળાવ છે. દાસ તમને ત્યાં તળાવ પાસે જોવા મળશે. આ તળાવમાં જ ઘણા મગર છે. તેમને મગર ઉપર પ્રેમ છે. રિપોર્ટ્સ અનુસાર, તે તેમને પોતાના બાળકો માને છે. જાણીને નવાઈ લાગશે કે મગરો તેમનો અવાજ અને તેમના હાવભાવને સમજે છે. લગભગ 15 વર્ષ પહેલા દાસ મગરના હુમલાનો શિકાર બન્યા હતા. આમાં તેણે પોતાનો એક હાથ ગુમાવ્યો હતો. બધું ગુમાવ્યા પછી પણ તેણે ક્યારેય મગર ઉપર નફરતા નથી આવી.

અવાજ સાંભળીને બહાર આવે છે મગર:
મગરો આજે પણ દાસનો અવાજ સાંભળીને પાણીમાંથી બહાર આવીને બેસી જાય છે. પૂજારી આ મગરોને તેમના ચહેરા પરથી ઓળખે છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, ‘મગર મને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો. તેણે મને પકડ્યો કારણ કે હું તેના માર્ગમાં આવી ગયો હતો. તે પછી તેણે મને જવા દીધો.

(પ્રતીકાત્મક તસવીર)

તેમનું કામ ગાયોનું ધ્યાન રાખવાનું હતું:
દાસ 50 વર્ષ પહેલા ગોરખપુરથી આ ગામમાં આવ્યા હતા. તે અહીં ગાયોની સંભાળ રાખતા હતા. ધીમે ધીમે તેઓ તળાવના મગર તરફ આકર્ષાવા લાગ્યા. તેમણે વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી મગરો માટે ઘણું કામ કર્યું. અહેવાલો અનુસાર, તેમના જીવનનો મોટાભાગનો સમય મગરોની સેવામાં વીત્યો હતો. તે એ પણ ઈચ્છે છે કે તેના મૃત્યુ બાદ તેનો મૃતદેહ આ તળાવમાં ફેંકી દેવામાં આવે.

YC