સુવર્ણ નગરી જેસલમેરમાં સાત ફેરા ફરીને ભવ ભવન બંધનમાં બંધાયા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા, લગ્નની તસવીરો જીતી રહી છે ચાહકોના દિલ

શેરવાનીમાં કોઈ રાજકુમાર કરતા જરા પણ કમ નહોતો લાગી રહ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, તો ચણિયાચોળીમાં કિયારાની સુંદરતાએ જીત્યા ચાહકોના દિલ.. જુઓ તસવીરો

લગ્નના માહોલ વચ્ચે બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને ખ્યાતનામ અભિનેત્રી કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ બંનેએ પણ બોલીવુડના ણ્મય સેલેબ્સની જેમ જ ડેસ્ટિનેશન વેડિંગ પસંદ કર્યું અને તેના માટે તેમને રાજસ્થાનની સુવર્ણ નગરી જેસલમેર પસંદ કરી હતી.

બૉલીવુડનું આ સ્ટાર કપલ જેસલમેરની સૂર્યગઢ પેલેસ હોટલમાં સાત ફેરા ફરીને એકબીજા સાથે ભવ ભવન બંધનમાં બંધાઈ ગયું છે. તેમના લગ્ન પહેલા જ લગ્નની વિધિ વિવિધ પુર્ણ થઇ હતી. તેમની મહેંદી સેરેમનીમાં પણ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. તેમના લગ્ન માટે કરણ જોહર, શાહિદ કપૂર, મનીષ મલ્હોત્રા, મીરા રાજપૂત, ઈશા અંબાણી ઉપરાંત બીજા ઘણા બધા સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા.

સૂર્યગઢ પેલેસની બહાર જયારે જાન પહોંચી ત્યારે જાનૈયાઓ  પિન્ક રંગના કપડામાં જોવા મળ્યા. જેના કારણે સ્પષ્ટ થતું હતું કે લગ્ન માટે પિન્ક થીમ રાખવામાં આવી છે. આ પિંક કલરની થીમને ધ્યાનમાં રાખીને મંડપને પણ સજાવવામાં આવ્યો છે. બધે રંગબેરંગી ફૂલો જોવા મળ્યા. ચારે બાજુ રોશની હતી.

મહેમાનોને બેસવા માટે ગુલાબી-સફેદ સોફા હતા. આ મંડપ સપનાના લગ્નથી ઓછો નહોતો. લગ્નના મંડપની તસવીરો પણ વાયરલ થઇ હતી અને સાથે જ ઘણા લોકોએ આ શાહી લગ્નની તસવીરોને ખુબ જ પસંદ પણ કરી હતી. ત્યારે અન્ય સેલેબ્સની જેમ તેમના લગ્ન પણ ખાનગી રાખવામાં આવ્યા.

આ લગ્નની કોઈ તસવીરો કે વીડિયો સામે આવ્યા નહોતા, મીડિયા પણ તેમના લગ્ન સ્થળની બહાર તેમની એક ઝલક જોવા માટે આતુર હતી, ત્યારે હવે તેમના લગ્નની તસવીરો પણ સામે આવી ગઈ છે અને આ કપલ ખુબ જ સુંદર દેખા રહ્યું છે. સિદ્ધાર્થ શેરવાનીમાં કોઈ રાજકુમારથી કમ નથી લાગી રહ્યો તો લહેંગા ચોલીમાં કિયારા પણ દિલ જીતી રહી છે.

7 ફેબ્રુઆરીનો દિવસ સિદ્ધાર્થ અને કિયારા માટે તેમના જીવનનો સૌથી સુંદર દિવસ બની ગયો છે. બંનેએ સાત વચન સાથે તમામ વિધિઓ કરી હતી. ભવ્ય લગ્નમાં બંનેના પરિવાર અને નજીકના લોકોએ હાજરી નોંધાવી હતી. સિદ્ધાર્થ અને કિયારા હવે સાત જન્મોના સાથી બની ગયા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન પૂર્ણ થઈ ગયા છે. આજથી બંને પતિ-પત્ની બની ગયા છે. આ શાહી લગ્નમાં બંને પરિવારો અને મહેમાનોએ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નની ભવ્યતા સ્પષ્ટ સંભળાતી હતી. લગ્નમાં વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. સિદ્ધાર્થે ‘સાજન જી ઘર આયે’ ગીત પર એન્ટ્રી કરી હતી. આ સિવાય તેની ફિલ્મ ‘બાર બાર દેખો’નું પ્રખ્યાત ગીત ‘કાલા ચશ્મા’ પણ વાગતું સાંભળ્યું હતું.

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં હાજરી આપવા માટે ઘણા સેલેબ્સ લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. બોલિવૂડના ઘણા સ્ટાર્સ જેસલમેર જતા જોવા મળ્યા હતા. જો કે તેમનું રિસેપ્શન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે સોનાક્ષી સિંહા, ફિલ્મ નિર્માતા આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી, ફિલ્મ નિર્દેશક શકુન બત્રા અને અન્ય ઘણા ખાસ મહેમાનો લવ બર્ડ્સને શુભેચ્છા આપવા માટે જેસલમેર પહોંચી શકે છે.

લવ બર્ડ્સ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની વિધિ સોમવારે સવારે પૂરજોશમાં શરૂ થઈ હતી. સૂર્યગઢ પેલેસમાંથી રાજસ્થાની લોકગીતોનો અવાજ સંભળાયો. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં આવેલા મહેમાનોને ખાસ દેશી નાસ્તો આપવામાં આવ્યો હતો. જૂહી ચાવલાએ સૂર્યગઢ પેલેસમાંથી સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો નાસ્તો માણતો ફોટો શેર કર્યો હતો.

નાસ્તામાં પરાઠા, ગોળ, દહીં, અથાણું આપવામાં આવ્યું હતું. જુહી ચાલવાએ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં દેશી નાસ્તો માણ્યો હતો. હોટેલમાં બપોરે 2 વાગ્યે શહેરો બાંધવાનો કાર્યક્રમ શરૂ થયો હતો. અહીં વરરાજા સિદ્ધાર્થને શહેરો બાંધવામાં આવ્યો. જાનૈયાઓને પાઘડીઓ પણ બાંધવામાં આવી હતી અને લગભગ 4 વાગ્યે સિદનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં સંપૂર્ણ શાહી વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

આ વરઘોડામાં વિન્ટેજ ગાડીઓ, ઊંટ અને ઘોડાઓનો કાફલો જોવા મળ્યો. સૂર્યગઢના પગથિયાં પર લગ્નનો મંડપ શણગારવામાં આવ્યો હતો. લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા હતા. બંનેના લગ્ન માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત હતા. બેન્ડ-બાજે સાથે શાહી શૈલીમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો વરઘોડો નીકળ્યો હતો. તેમના લગ્ન સમારોહની તૈયારીઓ પણ જોરદાર હતી.

Niraj Patel