30 વર્ષ બાદ શનિ બદલશે તેની ચાલ, આ બે રાશિના લોકોની વધશે મુશ્કેલી…

30 વર્ષ પછી કુંભ રાશિમાં આવ્યા આવવાના છે શનિદેવ, આ બે રાશિની હાલત ખરાબ થશે

શનિ જયારે પણ રાશિ પરિવર્તન કરે છે તો ખાસ રાશિ વાળા સહીત તમામ રાશિ પર અસર નાખે છે.  જ્યોતિષ શાસ્ત્રમાં શનિના રાશિ પરિવર્તનને ખાસ મહત્વ આપવામાં આવે છે. શનિદેવ દર દોઢ વર્ષે રાશિ બદલે છે. 2022માં શનિ પોતાની રાશિ બદલવાના છે. કુંભ રાશિમાં શનિદેવ 30 વર્ષ પછી પ્રવેશ કરશે.

જ્યારે પણ શનિ એક રાશિમાંથી અન્ય રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અનેક લોકોની ચિંતામાં વધારો થાય છે. શનિના રાશિ પરિવર્તનનું જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ હોય છે. શનિના રાશિ પરિવર્તનની તમામ રાશિની વ્યક્તિઓના જીવન પર ગંભીર અસર થાય છે. અઢી વર્ષ બાદ શનિના રાશિ પરિવર્તનમાં ફેરફાર થાય છે. થોડા દિવસ બાદ નવા વર્ષની શરૂઆત થઈ જશે. વર્ષ 2022 માં શનિના રાશિ પરિવર્તનમાં ફેરફાર થાય છે. શનિ કુંભ રાશિમાં જવાથી કઈ રાશિને પ્રભાવ પડશે જાણો.

કુંભ : બીમારી પરેશાન કરશે. સ્વાસ્થ્યને લઇ ખાસ ધ્યાન રાખવું પડશે. પૈસાની તંગી પરેશાન કરી શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારમાં કોઈ પ્રકારનો વિવાદ પરેશાની વધારશે. નોકરીમાં વર્કપ્લેસ પર ઘણી બધી મુશ્કેલિઓનો સામનો કરવો પડશે.

કર્ક : 2022માં શનિના કુંભ રાશિમાં જવાથી કર્ક રાશિ પર સારી અસર નહીં પડે. જેના કારણે આર્થિક સમસ્યાઓ વધશે. નોકરી કે ધંધામાં મુશ્કેલી આવશે. નાણાકીય રોકાણ બાબતે સાવધાની રાખવી પડશે. કોઈ નવા કાર્યની શરૂઆતમાં મુશ્કેલી આવશે.

તુલા : તુલા રાશિના જાતકો માટે શનિનું પરિવર્તન સારું નહીં રહે. પિતાની મિલકતને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં નોકરી-ધંધામાં થોડી પરેશાની રહેશે.

વૃશ્ચિક : 2022માં તમારે શનિના પ્રભાવથી પરેશાનીઓનો સામનો કરવો પડશે. કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. આ સિવાય નોકરીમાં મન નહીં લાગે. જેના કારણે માનસિક પરેશાની રહેશે. જીવનસાથી સાથે મનભેદ વધશે.

Patel Meet