PM મોદીએ અંતિમ શીખ યાદ કરી-કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી, શતાયુ હીરાબા પંચમહાભૂતમાં વિલીન

પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબેન મોદીનું શુક્રવારે સવારે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થઇ ગયુ. તેમની ઉંમર 100 વર્ષની હતી. હીરાબા 9:26 કલાકે પંચતત્વમાં વિલીન થયા હતા. માતાના અંતિમ સફર દરમિયાન તેમણે માતાના પાર્થિવ દેહને કાંધ પણ આપી હતી અને તે અંતિમ સફર દરમિયાન માતાના ચરણ પાસે વાહનમાં બેસેલા જોવા મળ્યા હતા.પીએમ મોદીએ પોતે ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી.

જે બાદ સવારે 7.45 કલાકે તેઓ અમદાવાદ પહોંચ્યા અને અહીંથી તેઓ સીધા ગાંધીનગરના રાયસણ ગામમાં ભાઈ પંકજ મોદીના ઘરે ગયા હતા. હીરાબાના પાર્થિવ દેહને અહીં રાખવામાં આવ્યો હતો. મોદી પહોંચતા જ અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ. સેક્ટર-30 સ્થિત સ્મશાનભૂમિ ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. શુક્રવારે સવારે 6:20 વાગ્યે,

તેમણે લખ્યું – ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિની અનૂભુતિ કરી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. તેમણે આગળ લખ્યું- જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતાથી જીવન જીવો. હીરાબાએ જૂનમાં જ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે સમયે વડાપ્રધાન મોદી તેમને મળવા પહોંચ્યા હતા.

તે દરમિયાન પીએમે હીરાબાના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા. જણાવી દઇએ કે, મંગળવારે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદી બિમાર હીરાબાને જોવા બુધવારે અમદાવાદ પણ પહોંચ્યા હતા. તેઓ લગભગ સવા કલાક સુધી હોસ્પિટલમાં હતા. આ દરમિયાન ડોકટરો સાથે વાત કર્યા બાદ તેમણે માતાના સ્વાસ્થ્ય અને સારવાર વિશે માહિતી મેળવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના અન્ય કેટલાક મંત્રીઓ પણ હોસ્પિટલમાં હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના માતાના નિધન બાદપીએમઓએ ટ્વીટ કરીને માહિતી આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ સંસ્કાર પછી તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે. તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંગાળમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરશે. પહેલા વડાપ્રધાને બંગાળ જવું પડ્યું. સ્વચ્છ ગંગા મિશનના પ્રોજેક્ટના ઉદ્ઘાટન દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી,

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત ઉત્તરાખંડ અને ઝારખંડના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. થોડા સમય પહેલા જ ગુજરાત ચૂંટણીના મતદાન દરમિયાન પીએમ મોદી 4 ડિસેમ્બરે ગાંધીનગરમાં તેમની માતાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને તેમની સાથે બેસીને ચા પીધી હતી. આ પહેલા તેઓ 18 જૂને માતા હીરાબાના જન્મદિવસે અમદાવાદ પહોંચ્યા હતા.

Shah Jina
error: Unable To Copy Protected Content!