હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્ત્વ છે. અગિયારસના દિવસે ખાસ પૂજા વ્રત કરવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ મોટી અગિયારસના દિવસે ખાસ વ્રત રાખવાનું મહત્ત્વ છે. ત્યારે જેઠ મહિનામાં નિર્જળા એકાદશી આવે છે જેનું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે. આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત 6 જૂન, 2025ના શુક્રવારે છે. આ વ્રત બધી એકાદશીઓમાં સૌથી કઠિન માનવામાં આવે છે કારણ કે લોકો આ દિવસે એક ટીપું પણ પાણી નહિ પીતા. નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના કરીને પાપોનો નાશ થાય છે અને શુભ ફળ મળે છે.
હિંદુ કેલેન્ડર મુજબ વૃષભ અને મિથુન વચ્ચેની સંક્રાતિ દરમિયાન જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે.જ્યેષ્ઠ મહિનામાં નિર્જળા એકાદશી (નિર્જળા એકાદશી વ્રત નિયમ 2025) વ્રત રાખવામાં આવે છે જેમાં 24 કલાક પાણી પીધા વિના રહેવું પડે છે. ઉનાળામાં આ વ્રત મુશ્કેલ હોઈ શકે છે, તેથી ઉપવાસના એક દિવસ પહેલા શરીરને હાઇડ્રેટ રાખો અને તડકામાં બહાર જવાનું ટાળો. ઉપરાંત, કેટલીક અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને, તમે આ વ્રત સારી રીતે કરી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ નિર્જલા એકાદશી પર અનેક શુભ ગ્રહયોગો બની રહ્યા છે. બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે ભદ્ર રાજયોગ બને છે. ગુરુ અને બુધ મિથુનમાં યૂતિ કરશે અને શનિ પોતાના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં જશે. સાથે જ રવિ નામનો શુભ યોગ પણ સર્જાશે. તો તેના કારણે 5 રાશિઓને લાભ થશે જાણો કઇ રાશિ છે?
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય કારકિર્દી માટે ખૂબ લાભદાયક રહેશે. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા આપના પર વરસતી રહેશે. નોકરીમાં પ્રમોશન, સફળતા મળશે. પરિવારમાં માહોલ ખુશનુમા રહેવાના યોગ છે. જૂના કાર્યો પૂર્ણ થશે અને નવા સપનાને સાકાર કરવાનો સમય આવશે. ભાગ્યનો સાથ રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ શુબ રહેશે. બુદ્ધિ અને સમજણમાં વધારો થશે. સામાજિક દરજ્જો મળશે અને વિષ્ણુ ભગવાનની કૃપાથી બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યમાં સુધારો આવવાના યોગ જોવા મળી રહ્યા છે. મિલકત ખરીદીનો પણ યોગ છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય દરમિયાન લોન ચૂકવવાની તક મળશે. દેવ માંથી મુક્તિ મળશે. ભગવાન વિષ્ણુની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકોની વાણીમાં મધુરતા જોવા મળશે, જેના કારણે લોકો તમારી વાતથી પ્રભાવિત થશે. સરકારી નોકરીની તૈયારી કરનાર માટે શુભ સમય છે અને તમારા શબ્દોમાં મીઠાશ હશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે. નફો, બચત, પ્રતિષ્ઠા અને પરિવારમાં ખુશહાલી મળશે. કર્મચારીઓ તરફથી માન-સન્માન મળશે અને નવા પ્રોજેક્ટમાં ભાગ લેશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમે તમારા સ્વપનાઓ સાકાર કરશો
મીન રાશિ
મીન રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન, પગારમાં વધારો મળવાની પણ શક્યતા છે. નવા લગ્નપ્રસ્તાવો મળશે, આરોગ્ય સારું રહેશે અને તેમના સામાજિક સંબંધો મજબૂત બનશે. ભગવાન વિષ્ણુની કૃપા અને માતા લક્ષ્મીની કૃપાથી ધનવર્ષાનઆ યોગ જોવા મળી રહ્યા છે
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)