નટુકાકા બાદ “તારક મહેતા”માં થવા જઇ રહી છે વધુ એક કલાકારની એન્ટ્રી…જલ્દી જ શોમાં જોવા મળશે આ ચહેરો

ખુશખબરી: નટુકાકા બાદ પછી હવે આ કિરદારની થશે શૉમાં એન્ટ્રી, જોઇને સૌ કોઇ ચોંકી ગયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો છે. આ શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો ટીવીનો સૌથી લાંબો ચાલનારો શો છે. જો કે, આ શોમાં છેલ્લા ઘણા સમયમાં અનેક બદલાવ આવ્યા છે. કેટલાક કલાકારો આ શો છોડી ચાલ્યા ગયા છે, ત્યાં તેમની જગ્યાએ કેટલાક નવા પણ કલાકારો આવ્યા છે, જેમને પણ ચાહકો પ્રેમ આપી રહ્યા છે. ત્યારે આ દિવસોમાં મેકર્સ શોમાં નવા કલાકારોની એન્ટ્રી મેળવવામાં વ્યસ્ત છે. હાલમાં જ મેકર્સે શોમાં નટુકાકાની એન્ટ્રી કરાવી છે.

ઘનશ્યામ નાયકનું અવસાન થયું ત્યારથી નટુકાકા આ શોમાં જોવા મળ્યા ન હતા. આ દિવસોમાં ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે, આવી સ્થિતિમાં, દર્શકો પહેલા જેવી રુચિ સાથે શો નથી જોઈ રહ્યા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ઘનશ્યામ નાયક માટે રિપ્લેસમેન્ટ શોધવાનું યોગ્ય માન્યું. જો કે શોમાં હજુ પણ ઘણા મહત્વના કલાકારો ગાયબ છે, પરંતુ નિર્માતાઓએ એ પણ નક્કી કર્યું છે કે તેઓ એક પછી એક બધાને પાછા ફરાવશે. હાલમાં જ આ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે.

જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ શોમાં કોઇ નવા કલાકારની એન્ટ્રી થવાની છે, જેને જોઈને ગોકુલધામના લોકોના હોશ ઉડી જશે. લેટેસ્ટ પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે ક્લબ હાઉસની બહાર કોઈ સૂઈ રહ્યું છે, ગોકુલધામના લોકો તેને જોઈને ચોંકી જાય છે, પરંતુ તે કોણ છે તે જાણી શકાયું નથી. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે નિર્માતાઓ દર્શકો માટે કોઇ સરપ્રાઈઝ લાવી રહ્યા છે. પરંતુ એ સરપ્રાઈઝ આખરે શું હશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.

જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દર્શકો દયાબેનના પાત્રની ઘણી આતુરકાથી રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત એવા સમાચાર આવ્યા હતા કે દયાબેન શોમાં પરત ફરી રહ્યા છે, પરંતુ હજુ પણ તેમની વાપસી અંગે શંકા છે. ચાહકો દિશા વાકાણીને જ શોમાં જોવા માંગે છે, જો કે આ શક્ય નથી. કારણ કે દિશા વાકાણી હાલમાં જ બીજા બાળકની માતા બની છે. પરંતુ એ વાત કન્ફર્મ છે કે મેકર્સ ટૂંક સમયમાં જ દયાબેનના પાત્રને શોમાં પાછુ લાવવાના છે અને આ માટે ઓડિશન પણ ચાલુ થઇ ગયા છે.

Shah Jina