અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકા અરોરાની હાલત કેવી છે? અભિનેત્રીએ કહ્યું- ‘મને કોઈ અફસોસ….’ જાણો વધુ

બોલીવુડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોડા હંમેશા તેના વ્યક્તિગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેણે અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ વિશે પહેલી વખત ખુલીને વાત કરી છે. આવો જાણીએ કે મલાઈકાએ શું કહ્યું:

મલાઈકાએ ગ્લોબલ સ્પા મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેના વ્યક્તિગત જીવન વિશે ખુલીને વાત કરી. તેણે અર્જુન સાથેના બ્રેકઅપ અંગે પહેલી વાર પ્રતિક્રિયા આપતા કહ્યું, “મને વિશ્વાસ છે કે મેં મારા જીવનમાં જે પણ નિર્ણયો લીધા છે તે બિલકુલ સાચા છે. આ નિર્ણયોએ મારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને વધુ આગળ વધાર્યું છે. મને કોઈ પણ બાબતનો પસ્તાવો નથી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે અમે જે રીતે ઇચ્છતા હતા તે રીતે જ વસ્તુઓને સમાપ્ત કરી.”

મલાઈકા અને અર્જુને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતા હતા અને ઘણી વખત સાથે વેકેશન પર જતા જોવા મળતા હતા. તેમના લગ્ન અંગે પણ અનેક અફવાઓ ફેલાઈ હતી, જો કે તે માત્ર અફવાઓ જ હતી. તેમના બ્રેકઅપના સમાચારે ચાહકોને નિરાશ કર્યા હતા.

મલાઈકાએ વધુમાં કહ્યું, “મારું માનવું છે કે મેં જે પણ નિર્ણયો લીધા છે, પછી તે વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક, તે બધાએ મારા જીવનને આકાર આપવામાં ભૂમિકા ભજવી છે. હું કોઈ પસ્તાવા વગર જીવી રહી છું અને મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે વસ્તુઓ એવી જ થઈ જેવી થવી જોઈતી હતી.”

બંને વચ્ચે બ્રેકઅપની અફવાઓ આ વર્ષની શરૂઆતથી જ ફેલાવા લાગી હતી, પરંતુ આ સમાચાર ત્યારે વેગ પકડ્યા જ્યારે મલાઈકાએ અર્જુનને જન્મદિવસની શુભેચ્છા ન આપી અને તેની પાર્ટીમાં પણ હાજરી ન આપી.

મલાઈકા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો છે. એક તરફ તે અર્જુન સાથેના બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવી રહી હતી, તો બીજી તરફ તેના પિતા અનિલ મહેતાનું અવસાન થયું, જેણે તેને સંપૂર્ણપણે તોડી નાખી. જો કે, બ્રેકઅપ પછી પણ અર્જુન મલાઈકાના પિતાના અવસાન સમયે તેની સાથે ઊભો રહ્યો હતો.

Dhruvi Pandya