“તારક મહેતા”ના ચાહકો માટે ખરાબ સમાચાર, દયાબેન ઉર્ફે દિશા વાકાણીને થયુ કેન્સર? જાણો સમગ્ર મામલો….

ટીવી જગતનો લાંબા સમયથી ચાલતો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે પણ લોકોની પહેલી પસંદ છે. લોકો આ શોના લીડ કલાકાર સહિત દરેક કલાકારને ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને દિશા વાકાણી, જે દયાબેનના પાત્રમાં જોવા મળી હતી. દિશા ભલે હાલ શોથી દૂર છે, પરંતુ ચાહકો હજુ પણ તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે દયાબેન શોમાં પાછા આવવાના છે પરંતુ હજુ સુધી દયાબેનનો કોઈ પત્તો લાગ્યો નથી.

પરંતુ આ દરમિયાન દયાબેનના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અને  સ્પોટબોય અનુસાર, દયાબેન ઉર્ફે દિશા વાકાણીને કેન્સર હોવાનું નિદાન થયું છે. સમાચાર આવી રહ્યા છે કે દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર, દિશા વાકાણીને લાંબા સમયથી શોમાં તેના વિચિત્ર અવાજના કારણે આ સમસ્યા થઈ હતી. 2010માં જ્યારે શોમાં દયાબેનની વાત કરવાની સ્ટાઈલ વિશે પૂછવામાં આવ્યું

ત્યારે દિશાએ કહ્યું કે દરેક વખતે એક જ અવાજ જાળવી રાખવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ભગવાનની કૃપાથી તેના અવાજ કે ગળાને કોઈ નુકસાન થયું નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તે શો માટે દરરોજ 11-12 કલાક સતત શૂટિંગ કરતી હતી. જ્યારથી દિશા વાકાણીએ શો છોડ્યો ત્યારથી તેનું પાત્ર ખતમ થઈ ગયું છે. તેના બદલે મેકર્સ નવી અભિનેત્રીની શોધમાં છે. આ દરમિયાન દયાબેનના રોલ માટે ઐશ્વર્યા સખુજા સહિત જેવી ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે. જો કે, તે માત્ર અફવા હોવાનું બહાર આવ્યું છે.

દિશાના બાદ પણ અન્ય ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ સચિન શ્રોફને લાવવામાં આવ્યો છે. પરંતુ ચાહકો હજુ પણ શૈલેષને મિસ કરી રહ્યા છે. દિશા વાકાણીએ વર્ષ 2019માં શોને અલવિદા કહી દીધું હતું. તેણે આનું કારણ મેટરનિટી લીવ જણાવ્યું હતુ. ત્યારથી ફેન્સ તેના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોમાં પાછા ફરવા માટે મેકર્સે ઘણી વખત તેનો સંપર્ક કર્યો પરંતુ તેણે ના પાડી. દિશા આ શોની સૌથી પોપ્યુલર અને ફેવરિટ એક્ટ્રેસ હતી.

Shah Jina