બિચારા રોકાણકારોના બધા પૈસા ડૂબી ગયા ! અંબાણીના આ કંપનીના શેરની કિંમત થઇ ગઇ અચાનક શૂન્ય…

શેરબજારમાં લોકો પૈસા કમાવવા માટે જાણકારીના અભાવે ગમે ત્યાં દાવ લગાવી દે છે, જેના પછી મોટાભાગના રોકાણકારો માટે આ દાવ ઊંધો પડી જાય છે, અને તેમને નુકસાન સહન કરવું પડે છે. હાલમાં રિલાયન્સ કેપિટલના ઈક્વિટી રોકાણકારો સાથે પણ આવું જ થયુ. અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલને હિન્દુજા ગ્રૂપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સે NCLT મારફત ખરીદી લીધી છે. જે બાદ નવા માલિકે રિલાયન્સ કેપિટલ લિમિટેડને શેરબજારમાંથી ડી-લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી શેરબજારમાં રિલાયન્સ કેપિટલનું શેર ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. રિલાયન્સ કેપિટલના શેરનું છેલ્લું ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું, તે દિવસે શેરનો ભાવ રૂ. 11.90 હતો. ડી-લિસ્ટિંગનો અર્થ એ છે કે હવે રિલાયન્સ કેપિટલના શેરનું વેપાર થશે નહીં કે રોકાણકારો શેર હોલ્ડ નહિ કરી શકે. રિલાયન્સ કેપિટલના શેર ધરાવતા રોકાણકારોનું મૂલ્યાંકન શૂન્ય થઈ ગયું છે, અને બધા પૈસા ડૂબી ગયા છે. કારણ કે શેરને ડી-લિસ્ટ કરવાના નિર્ણય સાથે તેની વર્તમાન કિંમત ગમે તે હોય તે શૂન્ય થઈ જાય છે એટલે કે રોકાણકારોના બધા પૈસા ડૂબી ગયા.

26મી ફેબ્રુઆરીના રોજ, રિલાયન્સ કેપિટલના શેરની કિંમત 11.90 રૂપિયા હતી. પરંતુ હવે તે શૂન્ય થઈ ગઇ છે. શેરધારકોને હવે વળતરમાં કંઈ મળવાનું નથી. જો કે, આ બધું માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો હેઠળ થયું છે. તેથી લોકોને હંમેશા આવા શેરથી બચવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને તે કંપનીઓના શેર અંગે જેમનો કેસ NCLTમાં ચાલી રહ્યો છે. એક જમાનામાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ શેરબજારમાં પ્રભુત્વ જમાવતી હતી.

વર્ષ 2008માં કંપનીના એક શેરની કિંમત 2700 રૂપિયાથી વધુ હતી. પોતાના હાઇથી આ શેર લગભગ 99% સુધી તૂટી ચૂક્યો છે. જણાવી દઇએ કે, RBIએ 29 નવેમ્બર 2021ના રોજ ગંભીર સમસ્યાઓને કારણે અનિલ અંબાણીની આ કંપનીને બોર્ડથી ભંગ કરી દીધી હતી. આ પછી કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ અને હિન્દુજા જૂથની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ સુધી પહોંચી. કંપનીનો કબજો મેળવતાની સાથે જ હિન્દુજા ગ્રુપે રિલાયન્સ કેપિટલના શેર ડી-લિસ્ટ કરવાનો નિર્ણય લીધો.

રિલાયન્સ કેપિટલે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીના ઇક્વિટી શેરધારકોનું લિક્વિડેશન મૂલ્ય શૂન્ય છે અને એટલે જ ઇક્વિટી શેરધારકો કોઈપણ ચુકવણી મેળવવા માટે હકદાર રહેશે નહીં. ત્યાં રિલાયન્સ કેપિટલના કોઈપણ શેરહોલ્ડરને કોઈ પિરસ્તાવ નહિ આપવામાં આવે. એટલે કે, રિલાયન્સ કેપિટલના ડી-લિસ્ટિંગ પછી, ઇક્વિટી શેરધારકોને કોઈ ચુકવણી મળશે નહીં. ગત મંગળવારે, NCLTએ રિલાયન્સ કેપિટલ પર નિયંત્રણ મેળવવા માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા રજૂ કરાયેલ 9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી.

આમાં, કર્જદાતાઓને 63 ટકાનું નુકસાન સહન કરવું પડશે. કંપની સામે કરવામાં આવેલા કુલ 38,526.42 કરોડના દાવાઓમાંથી ટ્રિબ્યુનલે માત્ર રૂ. 26,086.75 કરોડના દાવા સ્વીકાર્યા છે. રિલાયન્સ કેપિટલ પર 38,000 કરોડનું દેવું હતું અને ચાર આવેદકોએ શરૂમાં સમાધાન યોજનાઓ સાથે બોલી લગાવી હતી. જો કે, લેણદારોની સમિતિએ ઓછી બોલી મૂલ્યને કારણે તેમને નકારી હરાજીના બીજા રાઉન્ડનું આયોજન કર્યું હતું જેમાં IIHL અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે ભાગ લીધો હતો. ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે હરાજીમાં રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે રૂ. 9,650 કરોડની બિડ કરી હતી.

Shah Jina