હિંદુ ધર્મમાં રીતિ-રિવાજનું વધારે મહત્વ છે, અને આમાંથી જ એક એ છે કે પત્ની તેના પતિના પગ દબાવે છે. પરંતુ આવું કેમ કે પત્નીઓ પતિના પગ દબાવે છે. આની પાછળનું ધાર્મિક કારણ છે. તમે જોયુ હશે કે લક્ષ્મીજી પણ ભગવાન વિષ્ણુના ચરણોમાં બેસી પગ દબાવતા હતા.
આની પાછળનું ધાર્મિક કારણ એ છે કે પતિના પગમાં ઘુંટણથી લઇને આંગળી સુધી શનિ દેવનો વાસ હોય છે અને પત્નીના હાથની કલાઇથી લઇને આંગળી સુધી શુક્ર દેવનો વાસ હોય છે. માન્યતા છે કે જ્યારે શુક્ર અને શનિ એકસાથે મળે છે તો શુક્રનો પ્રભાવ શનિ પર પડે છે અને ધનનો વરસાદ થાય છે.
ભગવાન વિષ્ણુના પગ માં લક્ષ્મી દબાવતા હતા, એટલે તેમને ધનની દેવી કહેવાય છે. જો પત્ની તેના પતિના પગ દબાવે છે તો તે જીવનમાં ખુશહાલ રહે છે. આ સાથે જ ક્યારેય પણ પતિનું ખીસ્સુ ખાલી નથી રહેતુ. એટલે કે પત્નીના પગ દબાવવાને કારણે ક્યારેય પતિ ધનહીન નથી થતો અને ઘરમાં રોનક આવવા સાથે સાથે કોઇ પણ વસ્તુની કમી પણ નથી થતી.
(નોટ: ઉપરોક્ત જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)