વડોદરા : 50 વર્ષીય અબજોપતિ બિલ્ડરે લગાવી 13મા માળેથી છલાંગ, રિયલ એસ્ટેટ જગતમાં મચી ગયો ખળભળાટ

વડોદરાના અબજોપતિ બિલ્ડર મનીષ પટેલે 13મા માળેથી છલાંગ કેમ લગાવી? રિયલ એસ્ટેટ જગતમાં મચી ગયો ખળભળાટ

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતની ખબરો સામે આવતી રહે છે, ત્યારે હાલમાં વધુ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો છે. જાણીતા અને સફળ બિલ્ડરે એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધુ. ઘટનાની જાણ થતા જ રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. 50 વર્ષીય મનીષ પટેલ લોટસ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે, તેમણે ગુરુવારે વહેલી સવારે એશિયા મોલ સામે નવી બની રહેલી બિલ્ડિંગના 13મા માળેથી કૂદી જીવ આપી દીધો.

જણાવી દઇએ કે, મનીષ પટેલ લગભગ 300 કરોડની સંપત્તિના માલિક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે, ત્યારે તેમણે આવું પગલું શા માટે ભર્યુ તે અકબંધ છે. તેઓ યોગા ગ્લાસમાં જવાનું કહી વહેલી સવારે ઘરેથી નીકળી હતા અને તે બાદ તેમણે સત્યા નારાયણ પાર્ટી પ્લોટ પાસે પોતાની કાર પાર્ક કરી અને નવી બનતી ઈમારતની ટેરેસ પર જઇ પડતું મૂક્યું. મનીષ પટેલ જ નહિ પણ તેમના પિતા પણ જાણીતી વ્યક્તિ છે જેઓ ઉમા કોઓપરેટિવ બેન્કના ચેરમેન હતા.

મનીષભાઈ પાસે સેવાસીમાં પાંચ એકરમાં એક આલિશાન બંગલો પણ છે. હાલ તો એફએસએલ અને ડોક્ટરોએ મૃતદેહ જોયા પછી સુસાઈડ કેસ હોવાનું કહ્યુ છે. પરિવારને પણ કોઈના પર શંકા નથી. એવું કહેવાઇ રહ્યુ છે કે મનીષ પટેલ ડિપ્રેશનનો શિકાર હતા, અને તેમની ડિપ્રેશનની દવા પણ ચાલતી હતી. આ ઉપરાંત તેમણે કેટલાક મોટા રિયલ્ટી સોદા પણ તાજેતરમાં કર્યા હતા.

બિલ્ડર લોબીની ચર્ચા અનુસાર, લોટસ ગ્રૂપમાં મનીષ પટેલ મોટો હિસ્સો ધરાવે છે અને દિવાળી બાદ તેમની વર્તણૂક એકદમ બદલાઈ ગઈ હતી. તેઓ ગુમસુમ રહેતા. જો કે, આની પાછળનું કારણ કોઈ જાણતું નથી. એવું સામે આવ્યુ છે કે થોડા દિવસો બાદ મનીષભાઈના પુત્રની સગાઈ હતી અને આ માટે થઇને તેમણે નવા કપડા પણ સિવડાવવા આપેલા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો અને મનીષભાઇના આ પગલાને કારણે પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યુ છે.

Shah Jina