BREAKING: શૈલેષ લોઢા બાદ હવે આ અભિનેતાએ પણ શોને હંમેશા માટે કહી દીધું બાય બાય, જાણો કારણ

ટીવી પરનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ છે. આ શોને જેટલા લોકો પસંદ કરે છે એટલા જ શોના પાત્રોને પણ પસંદ કરતા હોય છે. જો કે છેલ્લા કેટલાય સમયથી શોમાં બદલાવ ચાલુ છે અને ઘણા બધા કલાકારો શોને હંમેશા માટે અલવિદા કહીને પણ ચાલ્યા ગયા છે. થોડા સમય પહેલા જ શોમાં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા શૈલેષ લોઢાએ પણ શો છોડ્યો હતો. ત્યારે હવે વધુ એક અભિનેતાના શો છોડવાના સમાચાર આવી રહ્યા છે.

તારક મહેતામાં ટપ્પુનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા રાજ અનડકટે આ શો છોડી દીધો છે. આ ખબરની પુષ્ટિ તેણે સોશિયલ મીડિયાની એક પોસ્ટ શેર કરીને કરી છે. રાજ અનડકટે સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરી અને લખ્યું, “બધાને નમસ્કાર, હવે સમય આવી ગયો છે કે તમામ સમાચારો અને વાતોનો અંત લાવવાનો, જણાવી દઉં કે હવે હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી અલગ થઈ રહ્યો છું. મારો કરાર સત્તાવાર રીતે નીલા ફિલ્મ્સ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે સમાપ્ત થાય છે. આ એક સારી સફર હતી, જેમાં મને ઘણું શીખવા મળ્યું. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને આ પ્રવાસમાં સાથ આપ્યો.”

રાજે વધુમાં લખ્યું કે “તારક મહેતાની આખી ટીમ, મારા મિત્રો, પરિવાર અને તમારા બધાનો આભાર કે જેમણે મને ટપ્પુ તરીકે પસંદ કર્યો. તમારો પ્રેમ મને સારું કરવા પ્રેરે છે. હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે અભિનંદન આપવા માંગુ છું. હું જલ્દી પાછો આવીશ અને તમારું બધાનું મનોરંજન કરીશ. તમારો પ્રેમ અને સાથ બનાવી રાખજો.”

તમને જણાવી દઈએ કે રાજે લાંબા સમય પહેલા ‘તારક મહેતા..’નું શૂટિંગ બંધ કરી દીધું હતું. પરંતુ હવે શોમાંથી તેની એક્ઝિટ પર મહોર લાગી ગઈ છે. રાજે શો છોડવા પાછળ કોઈ કારણ જણાવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેણે આ નિર્ણય તેની કારકિર્દીના વિકાસ માટે લીધો છે. રાજે ભવ્ય ગાંધીની જગ્યા લીધી જે અગાઉ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યો હતો.  ત્યારે હવે નિર્માતાઓએ નવા ટપ્પુની શોધ શરૂ કરી દીધી છે.

Niraj Patel