“તારક મહેતા…”માં થઈ ગઈ નવા ટપુની એન્ટ્રી, આસિત મોદીએ કરાવી ઓળખાણ, જેઠાલાલ બોલ્યા “અમારા માટે તો એજ છે.” હવે દયાબેન આવે તો સારું… જુઓ વીડિયો

તારક મહેતામાં જેઠાલાલનો અધૂરો પરિવાર થવા આવ્યો પૂરો.. નવા ટપુની થઇ ગઈ એન્ટ્રી, દર્શકો બોલ્યા.. “દયાબેન ક્યારે આવશે ?”, જુઓ વીડિયો

છેલ્લા ઘણા બધા વર્ષોથી દર્શકોનો આપાર પ્રેમ મેળવી રહેલા શો “તારક મહેતા કા ઉલટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે. આ શો લોકો નિયમિતપણે જોતા હોય છે. શોની સાથે સાથે લોકો શોના પાત્રોને પણ ખુબ જ પસંદ કરે છે. ઘણા એવા પાત્રો છે જે શોની સાથે શરૂઆતથી જ જોડાયેલા છે અને દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા.

તો ઘણા પાત્રો એવા પણ છે જે શોને અલવિદા કહીને ચાલ્યા ગયા છે અને તેમની જગ્યા નવા પાત્રોએ પણ લઇ લીધો છે. ત્યારે થોડા સમય પહેલા જ શોમાંથી તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા શૈલષ લોઢા અને ટપુનું પાત્ર નિભાવી રહેલા રાજ અનડકટ પણ શો છોડીને ચાલ્યા ગયા. ત્યારે હવે મહેતા સાહેબના પાત્ર બાદ હવે ટપુના પાત્ર માટે પણ શોના મેકર્સ નવા કલાકારને લઈને આવી ગયા છે અને તેની ઓળખાણ ખુદ આસિત મોદીએ દર્શકોને કરાવી છે.

ભવ્ય ગાંધી અને રાજ અનડકટ બાદ હવે નીતિશ ભાલુની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુના રોલમાં જોવા મળશે. નિર્માતા અસિત મોદીએ પોતે ચાહકોને નવા ટપ્પુ એટલે કે નીતીશનો પરિચય કરાવ્યો છે. અસિત મોદીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહે છે કે આજે હું તમારી સાથે એક મોટા બ્રેકિંગ ન્યૂઝ શેર કરવા જઈ રહ્યો છું.”

વીડિયોમાં તે કહે છે “આજે હું તમને, તમારા પ્યારા, તમારા દુલારા, તમારી આંખના તારાનો પરિચય કરાવવા જઈ રહ્યો છું, જેને તમે ઘણા સમયથી મિસ કરી રહ્યા છો. ટીપેન્દ્ર જેઠાલાલ ગડા એટલે કે ‘ટપ્પુ’, જેને તમે બાળપણથી રમતા અને કૂદતા જોયા છે.” આસિત મોદી ઉપરાંત તારક મહેતામાં જેઠાલાલનું પાત્ર નિભાવી રહેલા દિલીપ જોશીએ પણ ટપુ વિશે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનેતા દિલીપ જોશીએ કહ્યું, “આ તમારા માટે નવો ટપ્પુ છે, અમારા માટે ટપ્પુ સમાન છે. નવા કલાકારો આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહિત છે. હું કહીશ કે ઓલ ધ બેસ્ટ. ઘણા દિલ જીતો.” સોશિયલ મીડિયા પર નવા ટપ્પુને જોઈને ફેન્સ તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. શોમાં ટપ્પુની એન્ટ્રી બાદ આખરે જેઠાલાલનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે, પરંતુ દર્શકો હજુ પણ દયા ગડા એટલે કે જેઠાલાલની પત્નીની રાહ જોઈ રહ્યા છે. દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી લગભગ 5 વર્ષથી શોમાં નથી આવી. પરંતુ મેકર્સે હજુ સુધી દિશાને રિપ્લેસ કરી નથી.

Niraj Patel
error: Unable To Copy Protected Content!