સુરતમાં બ્લાઉઝ સાડીમાં લપેટી નવજાતને કચરાના ઢગલામાં ફેંકી, બાળકીને કુતરા અને કાગડા ખેંચતા હતા ત્યારે રાહદારીએ…

ગુજરાતના સુરતમાંથી બે દિવસ પહેલા એક નવજાત બાળકીને કચરાના ઢગમાં ત્યજી દેવાઇ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં હાલ એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ બાળકીને તેના માતા-પિતા દ્વારા ત્યજી દેવાઇ હતી અને તે પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારુ છે. સાળી અને બનેવી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને સાળી ગર્ભવતી થઇ ગઇ હોવાથી તેની ડિલીવરી બાદ આ બાળકીને અહીં છોડી દેવામાં આવી હતી. આ બાળકીને મૂકવા તે છેક બિહારથી સુરત આવ્યા હતા.

સા‌ળીની ડિલિવરી કરાવવા માટે આરોપી પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જો કે ત્યાં સાળીને તેના પરિવારની વિગતો પૂછવામાં આવી હતી અને એટલા માટે તે બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. આ બાદ આ નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી અને કચરાના ઢગમાં નાખી નાસી છૂટ્યા હતા. સાળીએ મેડિકલ તપાસ કરાવવાની કહેતા તેણે ના કહી હતી અને તે બાદ તેનો આખરે ભાંડો ફૂટી ગયો હતો.

આરોપી

આ બાળકીને ગુરુવારના રોજ સવારે સુરતના ભેસ્તાન બ્રિજ પાસેના કામનાથ મહાદેવ પાસે કચરાનો ઢગ હતો ત્યાં ત્યજી દેવાઇ હતી. આ બાળકીના રડવાનો અવાજ એક શ્રમજીવીને સંભળાયો હતો. આ અવાજ સાંભળતા જ તેઓ અટકી ગયા હતા અને તેમણે એ તેમણે થેલી જોઈ તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી. બાળકીની તપાસ કરવા માટે પોલિસે અલગ અલગ ટીમો બનાવી હતી અને સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા હતા.

ત્યારે આ આધારે જ એક યુવકની ઓળખ થઇ અને તેની શોધખોળ બાદ તે પાંડેસરામાંથી મળી આવ્યો જે બાદ તેની પૂછપરછમાં સામે આવ્યુ છે કે, તેને તેની સાળી સાથે પ્રેમ સંબંધ હતો અને આ બાળકી આડાસંબંધોને કારણે જન્મી હતી જેને કારણે તે લોકોએ આ નવજાત બાળકીને ત્યજી દીધી હતી. હાલ તો આરોપીએ આરોપી રજનીશની પૂછપરછ હાથ ધરી છે.

Shah Jina