સુરતમાં માતેલા સાંઢની જેમ લક્ઝરી બસ બેફામ દોડી, નશામાં ધૂત ડ્રાઈવરે એક બાદ એક 7થી8 વાહનોને લીધા અડફેટે…જુઓ તસવીરો

હાલમાં જ સુરતમાંથી અકસ્માતની ઘટના સામે આવી, એક ખાનગી લકઝરી બસના ડ્રાઇવરે કાર, બાઈક અને રિક્ષા સહિત લગભગ 7થી8 જેટલા વાહનોને અડફેટે લીધા અને આ અકસ્માતને પગલે એકનું મોત નીપજ્યું જ્યારે ત્રણ-ચાર લોોકો ઇજાગ્રસ્ત છે. સુરતના કામરેજ ચાર રસ્તાથી દાદા ભગવાન મંદિર સુધી માતેલા સાંઢની જેમ આવેલ એક લક્ઝરી બસના ડ્રાઇવરે નાનાં-મોટાં 7-8 જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં.

જો કે કામરેજ ચાર રસ્તા પાસે લોકોએ બસના ચાલકને ઝડપ્યો અને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત છે. સુરતના કામરેજ ચાર રસ્તા પાસે લક્ઝરી બસની બ્રેક ફેઇલ થઈ જતાં બસ બેકાબૂ બની અને એકનું મોત નીપજ્યું. જો કે હાજર લોકોએ બસ ચાલકે નશો કર્યો હોવાની શંકા જતા તેને મેથીપાક ચખાડ્યો હતો.

અકસ્માત સર્જનાર બસનું નામ કનૈયા ટ્રાવેલ્સ હોવાનું અને બસ ગુંદા, જામનગર થઈ સુરત આવી રહી હોવાનું સામે આવ્યુ છે. પોલીસ દ્વારા હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે કામરેજ ચાર રસ્તા પાસે એક વ્યક્તિ હાજર હતા, તેમણે જણાવ્યું કે, બસવાળો ફુલઝડપે બ્રેક માર્યા વિના બસ ચલાવી રહ્યો હતો અને રસ્તમાં જે ઊભા હતા એને ઉડાવતો ગયો. એકનું તો મારી સામે જ મોત થયું અને બે મહિલાઓ ઘાયલ થઈ, જેમના પગ ભાંગી ગયા.

આ મામલે એક બાઈકચાલક કે જે પણ બસની અડફેટે આવ્યો હતો તેણે જણાવ્યું, હું સુરત બાજુ જઈ રહ્યો હતો ત્યારે કનૈયા ટ્રાવેલ્સની બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં વાહનોને ઉડાડતો આવતો હતો. મને સામેની બાજુ જવાની સાઈડ ન મળતા હું બાઈકને સ્ટેન્ડ પર ચડાવી કૂદકો મારીને બચી ગયો, પણ બાઈક સાવ પૂરી થઈ ગઈ. મારા અંદાજ પ્રમાણે આ અકસ્માતમાં 3થી 4 લોકોના મોત નીપજ્યા છે.

Shah Jina