પ્રવચન આપનાર ભારતના આ 6 બાબાઓ પાસે છે કરોડો-અરબોની સંપત્તિ, સાંભળી તમે પણ રહી જશો હેરાન

ભારતના આ 6 બાબાઓ પાસે છે અધધધધધધધધધધધ કરોડોની સંપત્તિ, જાણો આખી કુંડલી, કાન ફાટી જશે કાન….

ભારતમાં બાબાઓની કમી નથી. દેશમાં ઘણા એવા સાધુ સંત છે, જે લોકોને સાદું જીવન જીવવાનો ઉપદેશ આપે છે, પરંતુ તેઓ પોતે કરોડોની સંપત્તિના માલિક છે. આજે અમે તમને એવા જ કેટલાક બાબાઓ વિશે જણાવવાના છીએ, જેમની કુલ સંપત્તિ કરોડોમાં છે. આમાંથી એક બાબાએ તો પોતાનો દેશ પણ સ્થાપી લીધો છે.

બાબા રામદેવઃ યોગગુરુ બાબા રામદેવે પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી છે. અગાઉ વર્ષ 1995માં તેમણે દિવ્ય યોગ મંદિરની સ્થાપના કરી હતી. તેમને દેશના પ્રખ્યાત યોગ ગુરુ માનવામાં આવે છે, જેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગને એક અલગ ઓળખ આપી છે. તેમની પાસે કુલ 1,600 કરોડ રૂપિયા છે.

શ્રી-શ્રી રવિશંકર: શ્રી-શ્રી રવિશંકર દેશના સૌથી પ્રખ્યાત ગુરુઓમાંના એક છે. વિશ્વના 150 દેશોમાં તેના 300 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે ઘણી આયુર્વેદિક દવાઓનો બિઝનેસ પણ કરે છે. તે 1,000 કરોડથી વધુની સંપત્તિના માલિક છે.

જગ્ગી વાસુદેવઃ ઈશા ફાઉન્ડેશનના ફાઉન્ડર જગ્ગી વાસુદેવ પણ કરોડોના માલિક છે. તેમની કુલ સંપત્તિ 18 કરોડ રૂપિયા છે.

આસારામ બાપુઃ આસારામ બાપુ પણ દેશના વિવાદાસ્પદ બાબાઓમાંના એક છે. આસારામને બરાત્કારના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આંકડા અનુસાર, આસારામના દેશભરમાં કુલ 350થી વધુ આશ્રમો છે. આસારામ ટ્રસ્ટ અનુસાર કુલ ટર્નઓવર 350 કરોડ રૂપિયા છે. ત્યાં, આસારામ કુલ 134 મિલિયન ડોલરના માલિક છે.

અમૃતાનંદમયીઃ માતા અમૃતાનંદમયી દેશના સૌથી ધનિક સાધુઓની યાદીમાં આવે છે. તે કેરળના છે અને કુલ 1,500 કરોડ રૂપિયાની માલિક છે.

નિત્યાનંદઃ વિવાદાસ્પદ ધાર્મિક નેતા નિત્યાનંદ દેશના સૌથી ધનિક બાબાઓમાંના એક છે. ભારતમાં યૌન શોષણના આરોપી નિત્યાનંદે ઇક્વાડોર પાસે એક ટાપુ ખરીદ્યો છે. તેણે આ ટાપુનું નામ કૈલાસ રાખ્યું. વર્ષ 2003થી તેણે નિત્યાનંદ સંત તરીકે પ્રચાર કરવાનું શરૂ કર્યું. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, નિત્યાનંદ પાસે કુલ 10,000 કરોડની સંપત્તિ છે. વિશ્વભરમાં તેના નામે અનેક ગુરુકુળો, આશ્રમો અને મંદિરો ચાલી રહ્યા છે.

Shah Jina