રાહુ-મંગળનો અશુભ ગણાતો યોગ આ 4 રાશિઓ માટે બનશે ‘વરદાન’ 2 એપ્રિલ સુધીમાં નાણાં અને પાવરમાં થશે જબરદસ્ત વધારો!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરીમાં મંગળ અને રાહુના સંયોગથી ખૂબ જ અશુભ અંગારક યોગ બની રહ્યો છે. પરંતુ આ અશુભ યોગ 4 રાશિઓને પણ શુભ ફળ આપશે. દ્રિક પંચાંગ અનુસાર, મંગળ 23 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11:57 વાગ્યે કુંભ રાશિમાં સંક્રમણ કરશે, જ્યાં રાહુ પહેલેથી જ હાજર છે.આ કારણે કુંભ રાશિમાં પહેલાથી હાજર રાહુ સાથે મંગળનો યુતિ થશે. આ સંયોગથી અંગારક યોગ બનશે, જે જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે, પરંતુ આ વખતે મંગળ અને રાહુનો અશુભ સંયોગ 4 રાશિઓને પણ શુભ ફળ આપશે. જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

વૃશ્ચિક રાશિ: મંગળ અને રાહુનો યુતિ વૃશ્ચિક રાશિના લોકોને લાભ આપશે. ખાસ કરીને જે લોકો વિદેશમાં કામ કરવા માગે છે તેમને સફળતા મળશે. સાથે જ વેપારીઓને પણ ફાયદો થશે.

સિંહ રાશિ: સિંહ રાશિવાળા લોકો માટે રાહુ અને મંગળનો યુતિ પણ સાનુકૂળ સાબિત થશે. ખાસ કરીને સરકાર અને સત્તા સાથે જોડાયેલા લોકોને પ્રગતિ મળશે. માન-સન્માન વધશે.

ધન રાશિ: ધન રાશિના લોકો માટે મંગળ અને રાહુનો યુતિ આત્મવિશ્વાસ વધારશે. કાર્યસ્થળ પર તમને મહત્વ મળશે. પ્રમોશન માટે નામ જઈ શકે છે. આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે.

મીન રાશિ: મંગળ સંક્રમણથી બનેલો રાહુ-મંગળનો સંયોગ મીન રાશિના લોકોનું નસીબ ઉજ્જવળ કરી શકે છે. વેપારમાં વિસ્તરણ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Devarsh
error: Unable To Copy Protected Content!