કાલે પૌષ પૂર્ણિમાના દિવસે પીપળાના પાનથી કરો આ ઉપાય, ઘરે આવશે માં લક્ષ્મી

સનાતન ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ દિવસ દેવી લક્ષ્મીની પૂજા માટે સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમા દરમિયાન માતાના તમામ સ્વરૂપો જાગે છે. આવી સ્થિતિમાં જે ભક્તો આ દિવસે માતાની વિશેષ પૂજા કરે છે તેમના પર ધનની દેવી હંમેશા પોતાની કૃપા બનાવી રાખે છે.

પૂર્ણિમામાં વિશેષ મહત્વ પોષ માસની પૂર્ણિમાનું માનવામાં આવે છે. કારણ કે આ પૂર્ણિમાના દિવસે, દેવી લક્ષ્મી તમામ આઠ સ્વરૂપો સાથે જાગ્રત રહે છે અને પૂર્ણિમાના દિવસે પૃથ્વી પર ભ્રમણ કરે છે.

આ જ કારણથી પોષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. પોષ પૂર્ણિમાના દિવસે પીપળનું એક પાન લઈને તેને આખી રાત ગંગાજળમાં પલાળી રાખો. આ પછી તે પાન પર લાલ ચંદન અથવા કુમકુમથી ‘શ્રી’ લખો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુભ દિવસે પીપળાનું પાન લઈને તેને લાલ દોરાની સાથે બાંધી દો અને પછી તેને લાલ કપડામાં લપેટીને જ્યાં તમે પૈસા રાખતા હોવ ત્યાં રાખો.

આ ઉપાય કરતી વખતે ધ્યાન રાખો કે દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ મનમાં સતત થતો રહે. પૂર્ણિમાના દિવસે પીપળાનું પાન લઈને તેના પર અત્તર લગાવો. આ પછી માતા લક્ષ્મીનો મંત્ર ‘ॐ श्रींह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नम:’ ભક્તિભાવ સાથે પત્તા પર લખો. આ પછી તેને તિજોરીમાં રાખી દો.

આ ઉપાયો કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે પોષ પૂર્ણિમાના આગલા 5 શુક્રવારના દિવસે આ પાંદડા સુકાઈ જાય તે પહેલા બદલાઈ જવા જોઈએ. તેમજ તે સૂકા પાનને પવિત્ર નદીમાં તરતા મુકો. આમ કરવાથી આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે અને દેવામાંથી પણ મુક્તિ મળશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય જાણકારી અને જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina