પહલગામ હુમલામાં પત્ની સામે જ પતિને મારી ગોળી, હત્યા બાદ પત્નીને કહ્યું ‘તને નહિ મારુ, જા મોદીને જઈને કહે’; જુઓ

જમ્મુ-કાશ્મીરના પહલગગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને આંચકો આપ્યો છે. આમાં કુલ 26 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી બે વિદેશી નાગરિકો પણ શામેલ છે. મૃતમાંથી એક યુએઈનો છે અને બીજો નેપાળનો છે. આ હુમલાથી સંબંધિત એક સત્ય બહાર આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આતંકવાદીઓએ પલ્લવી રાવ નામની મહિલાના પતિને તેની સામે જ ગોળીઓ મારી હતી. જ્યારે મહિલાએ કહ્યું કે મને અને મારા બાળકોને પણ મારી નાખે છે, ત્યારે આતંકવાદીઓએ કહ્યું, જા તને નથી માર તો મોદીને જઈને કહજે.મંજુનાથ રાવ જીવનમાં પ્રથમ વખત કાશ્મીરની મુલાકાત લેવા આવ્યા હતા, જે તેમના માટે છેલ્લું સાબિત થયું હતું.

ફક્ત આ જ નહીં, છેલ્લા 46 વર્ષમાં પ્રથમ વખત, તે તેના પરિવાર સાથે કર્ણાટકની બહાર નીકળ્યો હતો. હુમલો પહેલાં, રાવ દંપતી પહલગામના સુંદર ઘાસના મેદાનોમાં ચાલતા હતા. પછી અચાનક તેમણે ગોળીઓનો અવાજ સાંભળવાનું શરુ થયું. મંજુનાથ સિવાય, કર્ણાટકની અન્ય વ્યક્તિનું આ હુમલામાં મોત નીપજ્યું હતું. બીજા મૃતકનું નામ ભારત ભૂષણ છે, જે બેંગલુરુનો રહેવાસી હતો. આતંકવાદીઓએ તેને પણ ગોળી મારીને હત્યા કરી હતી.

પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મંજુનાથની બહેને ANIને કહ્યું કે તેઓ આ મહિનાની 8 મી તારીખે ગયા હતા અને 24મી તારીખે પાછા ફરવાની અપેક્ષા હતી. તેમને મેસેજ કર્યો હતો અને મારી માંને વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી હતી.મંજુનાથે તેમના પુત્ર અભિજીતની 12માંની પરીક્ષા બાદ કાશ્મીરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેઓ 19 એપ્રિલએ શિવમોગયાથી એક ગ્રુપ સાથે નીકળ્યા હતા. તે જ સમયે, મલનાડ ઇરેકા માર્કેટિંગ કો-ઓપ સોસાયટીની બિરુર શાખાના મેનેજર પલ્લવીએ એક ટીવી ચેનલને કહ્યું કે આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરતા પહેલા પીડિતોની પ્રોફાઇલ તૈયાર કરી હતી.

File Pic

મતલબ કે પહેલા જોયું કે કોણ ક્યાંથી છે, પછી ટાર્ગેટ પસંદ કરીને અને હત્યા કરી. આનાથી સ્પષ્ટ થાય છે કે આ હુમલો માત્ર ભય પેદા કરવા માટે જ નહીં, પરંતુ એક નિયોજીત હત્યાકાંડ હતું, જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા, જેથી ભારતની શાંતિ, પર્યટન અને આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોચિ શકે. આ હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સાઉદી અરેબિયાનો પ્રવાસ છોડીને ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો અને બેઠકમાં ભાગ લીધો. આ સિવાય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કાશ્મીર પહોંચ્યા અને પરિસ્થિતિ વિષે વધુ માહતી પ્રાપ્ત કરી.

(આતંકી હુમલામાં માર્યા ગયેલા તમામને ગુજ્જુરોકસ પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ)

Devarsh
error: Unable To Copy Protected Content!