29 જૂનથી ખુલશે કિસ્મતના દ્વાર, ચંદ્ર અને મંગળની યુતિથી બની રહ્યો છે શુભ યોગ, આ રાશિના જાતકોને થશે ધન લાભ, બની રહેશે માં લક્ષ્મીની કૃપા

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 29 જૂને સવારે 6 કલાક 33 મિનિટ પર સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે 1 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. અને મંગળ સાથે મહાલક્ષ્મી રાજયોગ બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ રાશિઓને વધુ લાભ મળી શકે છે. આશરે 54 કલાક મંગળ સાથે યુતિ બનાવી મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરશે. મહત્વનું છે કે સિંહ રાશિમાં પાપી ગ્રહ કેતુ પણ બિરાજમાન છે. તેવામાં કેટલાક જાતકોના જીવનમાં મહાલક્ષ્મી યોગનો પ્રભાવ જોવા મળશે નહીં.

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને સૌથી ઝડપી ગતિએ ચાલનાર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે એક રાશિમાં આશરે અઢી દિવસ રહે છે. તેવામાં ચંદ્રમાની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહે છે, જેનાથી શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. મહત્વનું છે કે ચંદ્રમા જૂન મહિનાના અંતમાં સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મંગળની સાથે યુતિ બનશે. તેવામાં ચંદ્ર-મંગળ યોગ બનશે. તેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે. આ યોજનું નિર્માણ થવાથી જાતકોને ધન, સમૃદ્ધિ, કલાત્મકતા, બિઝનેસ-નોકરીમાં ખૂબ લાભ મળે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર બનાવવામાં આવ્યું છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોના મંગળ-ચંદ્રની યુતિથી બનેલો યોગ છઠ્ઠા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેમના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. આ સાથે કામમાં સારૂ પ્રદર્શન કરશો, જેનાથી તમને ખૂબ લાભ મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ ઓછો થઈ શકે છે. પરિવાર કે મિત્રોની સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. ભાઈ-બહેનો સાથે સારો સંબંધ બનાવી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

તુલા રાશિ

તુલા રાશિના લાભ ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં અપાર સરળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પૈસાની તંગીને લઈને દેવામાંથી છુટકારો મળી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. કાર્યક્ષેત્રમાં તમને ખૂબ લાભ મળી શકે છે. તમારા હરીફોને તમે ટક્કર આપશો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો. તણાવમાંથી મુક્તિ મળશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે મંગળ-ચંદ્રની યુતિ થઈ રહી છે, જેનાથી છઠ્ઠા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં અપાર સરળતા મળી શકે છે. મહેનતનું ફળ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. માન-સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. જીવનમાં સુખ-શાંતિ રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે, મહેનતનું ફળ મળી શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Raina
error: Unable To Copy Protected Content!