હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના પર્વનું વિશેષ મહત્વ છે. આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે, જે જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત ખાસ રહેવાની છે. આ દિવસે બુધ, મંગળ અને ચંદ્ર પોતપોતાના નક્ષત્ર બદલી રહ્યા છે, જેના કારણે એક એવો દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે જે ચાર ભાગ્યશાળી રાશિઓના જીવનમાં મોટી સફળતા અને સમૃદ્ધિ લાવશે.
જ્યોતિષીય ગણતરી મુજબ, મહાશિવરાત્રિના દિવસે બુધ શતભિષા નક્ષત્ર છોડીને પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. સાથે જ મંગળ ધનિષ્ઠામાં અને ચંદ્ર શ્રાવણ નક્ષત્રમાં ગોચર કરશે. આ ગ્રહદશા નીચેની ચાર રાશિઓ માટે વરદાન સાબિત થશે

મેષ રાશિ: આ ગોચર મેષ રાશિના જાતકો માટે સકારાત્મક પરિવર્તન લાવશે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. આત્મવિશ્વાસ વધવાને કારણે તમે અધૂરા કાર્યો ઝડપથી પૂરા કરી શકશો.
મિથુન રાશિ: નાણાકીય દ્રષ્ટિએ આ સમય સુવર્ણ સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને પૂર્વજોની મિલકતથી લાભ થવાની શક્યતા છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને અવિવાહિતો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.
ધનુ રાશિ: સાહસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. જો તમે નવું ઘર, વાહન કે સોના-ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ શ્રેષ્ઠ સમય છે. વેપારીઓને નફામાં વૃદ્ધિ થશે અને દેવામાંથી મુક્તિ મળશે.
મકર રાશિ: લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડશે. ખાસ કરીને કોર્ટ-કચેરીના કેસોમાં રાહત મળશે. નોકરીયાત વર્ગ માટે પ્રમોશનના યોગ છે અને નવો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો માટે ગ્રહોનો સાથ મળશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
