જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આગામી ગણતરીના કલાકો અત્યંત પરિવર્તનકારી સાબિત થવાના છે કારણ કે કુંભ રાશિમાં મંગળ અને ચંદ્રના મિલનથી અત્યંત શુભ ગણાતા ‘મહાલક્ષ્મી રાજયોગ’નું નિર્માણ થઈ રહ્યું છે. ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ અને મનની શીતળતાના કારક એવા ચંદ્રની આ યુતિ આર્થિક અને સામાજિક રીતે ઘણી રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલી શકે છે. હિન્દુ પંચાંગની ગણતરી મુજબ 16 માર્ચ 2026ના રોજ સાંજે 06:13 કલાકે ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં મંગળ અગાઉથી જ બિરાજમાન છે અને આ મિલન 18 માર્ચની સવાર સુધી અકબંધ રહેશે.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો માટે આ રાજયોગ આર્થિક સમૃદ્ધિની નવી લહેર લઈને આવશે જે તેમની નાણાકીય સ્થિતિને મજબૂતી પ્રદાન કરશે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધવાની સાથે લાંબા ગાળાના રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે અને પરિવાર સાથે વિતાવેલી ક્ષણો યાદગાર બનશે.

મેષ રાશિ: મેષ રાશિના વ્યક્તિઓ માટે પણ આ સમયગાળો નવા સાહસોના શ્રીગણેશ કરવા માટે ઉત્તમ છે જે લાંબા ગાળે આર્થિક મુશ્કેલીઓનો અંત લાવશે. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદો દૂર થતા પારિવારિક શાંતિ સ્થપાશે અને પ્રવાસના યોગ વચ્ચે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવચેતી રાખવી જરૂરી બનશે.

કર્ક રાશિ: કર્ક રાશિના લોકો માટે આ ગ્રહ દશા અટકેલા કાર્યોમાં ગતિ લાવનારી સાબિત થશે અને વેપાર ક્ષેત્રે કોઈ મોટી કે ફાયદાકારક ડીલ થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આવકના નવા સ્ત્રોત ખુલશે પરંતુ બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો અનિવાર્ય છે તેમજ માતાના સ્વાસ્થ્ય અને માનસિક તણાવ જેવી બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
