જો ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો શુક્રવારે કરો આ ઉપાય, માતા લક્ષ્મી આપશે આશિર્વાદ

આજે ડિસેમ્બર 2021 મહિનાનો પહેલો શુક્રવાર અને માર્ગશીર્ષ મહિનાનો બીજો શુક્રવાર છે. સનાતન હિન્દુ ધર્મમાં શુક્રવારને લક્ષ્મી અને સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. જો તમે શુક્રવારે મા લક્ષ્મીની વિધિવત પૂજા કરશો તો મા લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે અને તમને દરેક સંકટમાંથી મુક્તિ મળી શકે છે.

શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે તેમની પૂજા કરવાથી તેમની કૃપા જળવાઈ રહે છે. તેની સાથે જ બધી પરેશાનીઓ દૂર થાય છે, આર્થિક તંગીથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

પૈસાની અછતને દૂર કરવા માટે આપણે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીને ધન અને સંપત્તિની પ્રમુખ દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેણીનો જન્મ સમુદ્રમાંથી થયો હતો, અને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા હતા. તેમની પૂજા કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. જો લક્ષ્મી ક્રોધિત થાય છે તો ગરીબીનો સામનો કરવો પડે છે.

જ્યોતિષશાસ્ત્રમાં તેઓ શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. દેવી લક્ષ્મીની પૂજા કરવાથી માત્ર પૈસા જ નહીં પરંતુ સમાજમાં પ્રસિદ્ધિ પણ મળે છે. તેમની પૂજા કરવાથી વિવાહિત જીવન સારું બને છે. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે અઢળક સંપત્તિ મેળવી શકો છો.

શુક્રવારના ઉપાયો

  • કહેવાય છે કે ઘરમાં લક્ષ્મીજી ગમે ત્યારે આવી શકે છે, પરંતુ સાંજના સમયે લક્ષ્મીજીનું આવવાનું સંભવ હોય છે, તેથી સાંજના સમયે આખા ઘરને રોશનીથી પ્રગટાવવું જોઈએ. આખા ઘરની લાઈટો ચાલુ રાખવી જોઈએ.
  • એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી સમક્ષ મોગરાનુ અત્તર અર્પણ કરવુ જોઈે અને રતિ અને કામસુખ માટે ગુલાબનું અત્તર અર્પણ કરવું જોઈએ. તેની સાથે લક્ષ્મી માતાની સામે કેવડાનું અત્તર ચઢાવવાથી માનસિક શાંતિ મળે છે.
  • એવું કહેવાય છે કે શુક્રવારે સવારે ગાય માતાને તાજી રોટલી ખવડાવવી જોઈએ કારણ કે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

  • ઘરની સાફ-સફાઈ પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ચોક્કસપણે પ્રસન્ન થાય છે અને સાંજે ક્યારેય પણ ઘરની સાફસફાઈ ન કરવી, તેના કારણે ઘરની લક્ષ્મી બહાર ચાલી જાય છે.
  • એવું કહેવાય છે કે શુક્રવારના દિવસે જ્યાં મોર નાચે છે ત્યાં જાવ અને ત્યાર બાદ ત્યાંની માટી લાવીને તેને લાલ રંગના કપડામાં બાંધીને કોઈ પવિત્ર સ્થાન પર રાખો અને દરરોજ તેની પૂજા કરો તો લાભ થશે.
YC