સપ્ટેમ્બરના પહેલા સપ્તાહે લોન્ચ થશે આદિત્ય એલ-1 મિશન, સૂર્યનું કરશે અધ્યયન, ISROએ કરી ઘોષણા

ચાંદ પર તો પહોંચી ગયા, હવે સૂરજની વારી…જાણો ISROનું મિશન આદિત્ય એલ-1

ISRO Sets Eyes On The Aditya-L1 Solar Mission : ભારતે ઈતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3 મિશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું અને ભારતે એવું કામ કર્યું કે જે આજ સુધી કોઈ દેશ કરી શક્યો નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ ખૂબ જ પડકારજનક હતું અને ઘણા દેશો તેના વિશે આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ ઈસરોએ આ તમામ આશંકાઓ દૂર કરીને મોટી સફળતા હાંસલ કરી. ભારતની સ્પેસ એજન્સી ઈસરોની આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે.

ચંદ્ર પછી હવે સૂરજનો વારો
ચંદ્રયાન-3 મિશન સફળ થતાં જ નવા મિશનની ચર્ચા પણ જોરોશોરોથી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઇકાલે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. સૂર્યનો અભ્યાસ કરતું અવકાશયાન આદિત્ય-એલ 1 પણ ટૂંક સમયમાં મિશન પર આવશે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશવાસીઓ, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

ISROનું મિશન આદિત્ય એલ-1
તેમણે કહ્યું કે ભારત હવે ચંદ્ર પર છે અને હવે ચંદ્રમાર્ગ પર ચાલવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે. એક જમાનામાં કહેવાયું હતું કે ચંદા મામા બહુ દૂર છે, હવે એક દિવસ એવો પણ આવશે જ્યારે બાળકો કહેશે, ચંદા મામા એક ટૂરના છે. પીએમ મોદીએ કહ્યું કે અમે ભવિષ્ય માટે ઘણા મોટા અને મહત્વકાંક્ષી લક્ષ્યો નક્કી કર્યા છે.

24*7 વોચ રાખશે
ટૂંક સમયમાં ISRO સૂર્યના વિગતવાર અભ્યાસ માટે આદિત્ય L-1 મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ISROનું આદિત્ય L-1 મિશન એ ભારતીય અવકાશ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી જટિલ મિશન છે. તે ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ થવાનું છે. આ મિશન ઘણી રીતે વિશેષ અને અલગ હશે. અવકાશયાન દરેક સમયે સૂર્ય તરફ જોશે અને 24*7 વોચ રાખશે.

આદિત્ય એલ-1 સ્પેસક્રાફ્ટને ધરતી અને સૂરજ વચ્ચે એલ-1 ઓર્બિટમાં રાખવામાં આવશે
ભારતીય સૂર્યયાન આદિત્ય એલ-1 સ્પેસક્રાફ્ટને ધરતી અને સૂરજ વચ્ચે એલ-1 ઓર્બિટમાં રાખવામાં આવશે. ધરતી અને સૂરજના સિસ્ટમ વચ્ચે હાજર પહેલુ લેરેંજિયન પોઇન્ટ. આ પોઇન્ટ પર આદિત્ય એલ-1ને રાખવામાં આવશે. લેરેંજિયન પોઇન્ટને અંતરિક્ષનો પાર્કિંગ સ્પેસ પણ કહેવાય છે. અહીં પહેલાથી ઘણા ઉપગ્રહ તૈનાત કરાયા છે. આદિત્ય એલ-1 આ સ્થળેથી સૂર્યનો અભ્યાસ કરશે. ઈસરોનું આ મિશન અત્યાર સુધીનું સૌથી જટિલ મિશન બનવા જઈ રહ્યું છે.

ભારત સૌરમંડળમાં પ્રથમ વખત સ્પેસ ઓબ્ઝર્વેટરી તૈનાત કરશે
આ મિશન દ્વારા ભારત સૌરમંડળમાં પ્રથમ વખત સ્પેસ ઓબ્ઝર્વેટરી તૈનાત કરશે. આદિત્ય એલ-1નું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. ઈસરોના વૈજ્ઞાનિકો અપેક્ષા રાખે છે કે આદિત્ય એલ-1 અવકાશના હવામાનની ગતિશીલતા, કણો અને પ્રદેશોના પ્રસારની સમસ્યા વગેરેને સમજવા માટે સૌથી મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે. આ ઉપરાંત પેલોડના સૂટ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેયર અને ફ્લેયર ગતિવિધિઓ તેમજ તેમની વિશેષતાઓને સમજવું સરળ બનશે.

Shah Jina