દુઃખદ સમાચાર: ચાર ધામ ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા જ 5નાં દર્દનાક મોત, જુઓ તસવીરો

ઉત્તરકાશી ગંગોત્રી હેલિકોપ્ટર દુર્ઘટના વિશે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 8 મે 2025ના રોજ સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હેલિકોપ્ટર એરો ટ્રાન્સ કંપની દ્વારા સંચાલિત હતું અને તે ગંગોત્રી નજીક નાગ મંદિર વિસ્તારની પાસે, ભાગીરથી નદીની નજીક ક્રેશ થયું હતું. ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને SDRF, NDRF, આર્મી, પોલીસ અને અન્ય આપત્તિ વ્યવસ્થાપન ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા તથા અકસ્માતની તપાસ કરવા સૂચના આપી છે. આ દુર્ઘટના ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) દરમિયાન બની છે, જે ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થઈ છે અને દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં ભાગ લે છે.

હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ સાત લોકો સવાર હતા. દુર્ભાગ્યવશ, છ યાત્રીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા અને એક યાત્રી ઘાયલ થયા છે. મૃતકોમાં 4 યાત્રીઓ મુંબઈના અને 2 આંધ્ર પ્રદેશના હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે અને કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી-યમુનોત્રી જવા માટે મોટી સંખ્યામાં યાત્રીઓ પહોંચી રહ્યા છે. કેટલાક લોકો પગપાળા યાત્રા કરી રહ્યા છે જ્યારે અનેક લોકો હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરી રહ્યા છે.

ઉત્તરાખંડમાં આજે (8 મે 2025) હવામાન વિભાગ દ્વારા ચેતવણી પણ જારી કરવામાં આવી છે. દેહરાદૂન, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી, નૈનીતાલ અને ચંપાવતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઘણા વિસ્તારોમાં વીજળી ચમકવાની અને તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ પહેલા સોમવાર, 5 મે 2025ના રોજ પણ બદરીનાથ ધામ ક્ષેત્રમાં ખરાબ હવામાનને કારણે તીર્થયાત્રીઓને લઈને બદરીનાથથી દેહરાદૂન જઈ રહેલા એક હેલિકોપ્ટરને ગોપેશ્વર રમતના મેદાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. આ હેલિકોપ્ટર લગભગ પાંચ મિનિટ સુધી મેદાનમાં રહ્યા બાદ પછી દેહરાદૂન માટે રવાના થયું હતું.

બપોરે લગભગ બે વાગ્યે પીપલકોટીથી ચમોલી વચ્ચે ખરાબ હવામાનને કારણે તીર્થયાત્રીઓને બદરીનાથના દર્શન કરાવીને દેહરાદૂન જઈ રહેલા હેલિકોપ્ટરે ગોપેશ્વર પોલીસ મેદાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં વાહનો પાર્ક થયેલા હોવાને કારણે હેલિકોપ્ટર રમતના મેદાનની તરફ વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવાઓનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ હવામાન પરિસ્થિતિ સાથે સંબંધિત ચેતવણીઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

YC
error: Unable To Copy Protected Content!