27 દિવસ અસ્ત રહી ફરી ઉદય થશે ગુરુ બૃહસ્પતિ, આ 4 રાશિના જાતકો માટે આવી શકે છે અધરો સમય! 9 જુલાઈ સુધી રાખવું પડશે ખાસ ધ્યાન

જ્યોતિષમાં બૃહસ્પતિ ગુરુને દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં બૃહસ્પતિ જ્ઞાન, સંતાન, ધન, વિવાહ, શિક્ષા, કરિયર અને ધર્મનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ ગુરુની ચાલ બદલાય છે, તો એનો પ્રભાવ વ્યક્તિના જીવન પર સૌથી પહેલા પડે છે. હાલમાં 12 જૂન 2025થી દેવગુરુ ગુરુ અસ્ત થઈ ગયા છે અને 9 જુલાઈ સુધી અસ્ત રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્ય વરજિત છે અને 12 રાશિઓ પર વિવિધ પ્રકારની અસર પડશે.

ગુરુના અસ્તને સામાન્ય ભાષામાં “તારા દુબ્ના” કે “ગુરુ તારા અસ્ત” કહેવામાં આવે છે. હવે ગુરુ મિથુન રાશિમાં અસ્ત થયા છે અને 9 જુલાઈ 2025 સુધી અસ્ત જ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય જેમ કે સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ કે મુંડન જેવા કાર્ય કરવાનાં નિવાર હોય છે. આ અસ્તકાળ દરમ્યાન વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળી શકે. હવામાન અસ્થિર બની રહે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. આવનારા 27 દિવસ સામાન્ય રીતે અનેક રાશિઓ માટે પડકારજનક બની શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય નાણાકીય દૃષ્ટિએ મુશ્કેલ સાબિત થઈ શકે છે. ખર્ચમાં વધારો અને આવકમાં અછત અનુભવાઈ શકે છે. ઘરગથ્થું જીવનમાં વિવાદ સર્જાઈ શકે છે, તેથી સાવધાનીથી વર્તવું જરૂરી છે. ખાસ કરીને વાતચીતમાં શિસ્ત રાખવી અનિવાર્ય છે. કોઈ પણ કામકાજમાં ધીરજ રાખો.

કન્યા રાશિ

ગુરુનું અસ્ત થવું કન્યા રાશિના જાતકો માટે વિશેષ અસરો કરનાર બનશે. તેમની છબીને નુકસાન થઈ શકે છે. અણધાર્યા આરોપો લાગવાની શક્યતા છે. નોકરી કે વ્યવસાયમાં અવરોધો આવી શકે છે, અને અનરાધાર મુસાફરી ટાળવી અનિવાર્ય રહેશે. કોઇ પણ મહત્વનો નિર્ણય હેતુ વિમુખ થઈ શકે છે, તેથી ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે.

વૃશ્ચિક રાશિ

ગુરુનું અસ્ત થવુંએ વૃશ્ચિક રાશિના જાતકો માટે અસરકારક સાબિત થશે, આ સમયગાળો મિલકત અને નાણાકીય બાબતોમાં નુકસાનનો સંકેત આપી રહ્યો છે. ચાલી રહેલા કામ અટકી શકે છે અને વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. કોઈ પણ દસ્તાવેજી કામ કરતી વખતે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો મોટું નુકસાન થઈ શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે ગુરુનું અસ્ત થવુંએ નુકસાન કારક સાબિત થઈ શકે આ સમયગાળા દરમિયાન ઊધાર લેવાનું ટાળવું જોઈએ. વેપાર કરતા લોકો માટે નફો ઓછો હોય તેમ છતાં સંતોષ જાળવવો વધુ યોગ્ય રહેશે. બાળકોના અભ્યાસ કે સ્વાસ્થ્ય વિશે ચિંતાઓ ઊભી થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે અનિચ્છનીય બદલીની શક્યતા છે, તેથી દરેક પગલાં ખૂબ વિચારીને ભરવું યોગ્ય રહેશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Raina
error: Unable To Copy Protected Content!