બેન્ડબાજા સાથે અંતિમ વિદાય આપી માતા દીકરીને, દીકરીને ભેટીને પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, સોલંકી પરિવારમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

ફુલ જેવી દીકરી અવતરી પણ આંખ ખોલે તે પહેલા મોતને ભેટી ગઈ…. લાડલીને ખોળામાં લઈને દાદા અને પિતાનું કરુણ આક્રંદ, સૌ કોઈ રડી પડ્યા….

જૂનાગઢના એક પરિવાર દ્વારા મૃત્યુને મહોત્સવ બનાવવામાં આવ્યો. સોલંકી પરિવારના મયૂરભાઈ સોલંકીના પુત્રવધૂ અને શ્રીનાથભાઈના પત્ની મોનિકાબેનનું અવસાન થતા તેઓ અંદરથી તૂટી ગયા હતા પરંતુ તેમ છતાં પણ તેમણે હિંમત રાખી અને પત્નીની ઈચ્છા અનુસાર વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી. આ ઉપરાંત બેસણામાં રક્તદાન કેમ્પ રાખી મોનિકાબેનને સમગ્ર પરિવારે અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.જ્યાં પુત્રવધુ અને પૌત્રીને ગુમાવ્યા બાદ દુઃખની ઘડીમાં પરિવારની હાલત રડી રડીને ખરાબ હતી ત્યાં પરિવાર સમાજ સેવાનુ કામ ચૂક્યો નહિ.

સોલંકી પરિવારે મોનિકાબેનના ચક્ષુનું દાન કર્યુ. પુત્રવધુ અને પૌત્રીને ગુમાવ્યા છત્તાં પણ પરિવારે તેમને વાજતે ગાતે બેન્ડબાજા સાથે ભારે હૈયે અંતિમ વિદાય આપી. આ ઉપરાંત તેમના બેસણાંમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં રહેતા સોલંકી શ્રીનાથભાઈના 29 વર્ષીય ધર્મપત્ની મોનિકાબેન ગર્ભવતી હતી, અને તેમને નવમો મહિનો પણ ચાલી રહ્યો હતો.

ત્યારે આ દરમિયાન જ ડિલિવરીના સમયે જ તેમને એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. જેના બાદ તપાસ કરતા તેમના ગર્ભમાં રહેલું બાળક જીવિત હોવાનું જાણવા મળ્યું હતું.જેના કારણે ગર્ભમાં રહહેલા બાળકને તાત્કાલિક સિઝેરિયન કરીને બહાર કાઢવામાં આવ્યું હતું. પરંતુ નવજાત બહાર આવતા જ માલુમ પડ્યું કે તેને પણ ઇન્ફેક્શન લાગી ગયું છે અને તેનું પણ મોત નીપજ્યું છે. માતા અને બાળકીના આમ અકાળે અવસાનના કારણે પરિવાર માથે દુઃખોનો આભ તૂટી પડ્યો હતો.

પરંતુ પરિવારે હિંમત દાખવી અને મોનિકાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો. જેના બાદ જૂનાગઢના પંજુરી આઈ કલેક્શન સેન્ટરના ડો. સુરેશભાઈ ઊંજીયા, એડવોકેટ ગીરીશભાઈ મશરૂએ મોનિકાબેનના ચક્ષુઓનું દાન સ્વીકાર ર્ક્યું હતું. તેમને બંને આંખોને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે પહોંચાડવામાં આવી હતી અને તેના કારણે બે વ્યક્તિઓને આંખોનો અંધોપો દૂર થઇ નવી રોશની મળી. મૃતક મોનિકાબેનના પતિ શ્રીનાથભાઇએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પત્ની સીમંત કરીને ડિલિવરી માટે પિયર ગઇ હતી અને 21 જુલાઈના રોજ તેને અચાનક માથામાં દુખાવો ઉપડ્યો.

જેને લઇને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રસ્તામાં તેને આંચકી આવતા હાલત વધુ બગડી. જો કે, તેને પૂરતી સારવાર આપવામાં આવી તો પણ તે કારગત ન નિવડી. માતાના ગર્ભમાં રહેલું બાળક જીવંત હોવાથી પરિવારની ઇચ્છાથી સિઝેરિયન કરવામાં આવ્યુ પરંતુ થોડા સમયમાં જ બાળકીના પણ શ્વાસ બંધ થઇ ગયા. જો કે, મોનિકાબેનના ચક્ષુનું દાન કરવામાં આવ્યુ.

Shah Jina