બાબાએ માથા ઉપર હાથ ફેરવીને કહ્યું કે, દવાઓ બંધ કરી નાખો અને હું જે ભભૂતિ આપું, હાલ તે વેન્ટિલેટર ઉપર છે

બાગેશ્વરના બાબાએ કહ્યું એટલે દવા બંધ કરી તો બાળક વેન્ટિલેટર પર, બાબા વિશે રાજકોટના આ યુવતીએ કર્યો મોટો ધડાકો, જાણો શું છે મામલો

Baba Asked To Stop Medicine : બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાય સમયથી ભારે ચર્ચામાં છે. ત્યારે હવે આવનારા થોડા દિવસમાં જ તે ગુજરાતના પ્રવાસે પણ આવવાના છે અને સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં તેમનો દરબાર પણ લાગવાનો છે. ત્યારે આ દરમિયાન ઘણા લોકોએ બાબાને ચેલેન્જ આપી છે. હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો જેણે સૌના હોંશ ઉડાવી દીધા.

રાજકોટમાં રહેતા એક પરિવારની દીકરીએ બાબા પર આરોપ લગાવતા જણાવ્યું કે બાબાના કહેવાથી તેના ભાઈની દવા બંધ કરી દેવામાં આવી હતી. હવે તેના ભાઈની તબિયર વધારે લથડી છે અને હાલ તે વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ જે દીકરાની તબિયત ખરાબ થઇ છે તેના પિતાનો વિશ્વાસ હજુ પણ બાબામાં અડગ છે અને તે કહી રહ્યા છે કે તેમની દીકરીને કઈ ખબર નથી. બાબાએ દવા બંધ કરવાનું નથી કહ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા એક પરિવારના 14 વર્ષીય દીકરાને વર્ષ 2021માં આંચકી ઉપડી હતી, જેના બાદ દીકરાને લઈને તેના મમ્મી 10 એપ્રિલના રોજ મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ગયા હતા. જ્યાં બાબાએ દીકરાના માથા પર હાથ ફેરવીને કહ્યું હતું કે દવા બંધ કરાવી દો અને ભભૂતિ આપું છું તે લગાવવાનું શરૂ કરી દો એટલે સારું થઇ જશે.

જેના બાદ 5 મેના રોજ દીકરાને ઘરે લાવવામાં આવ્યો હતો અને 6 મેના રોજ તેને સવારે ફરીથી આંચકી ઉપડતા જ રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આજે 13 દિવસ વીતવા છતાં પણ તે વેન્ટિલેટર પર છે તેવું તેની બહેને જણાવ્યું હતું. તો બીજી તરફ પિતા દ્વારા બાબા દ્વારા દવા બંધ ના કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમને કહ્યું કે દીકરાને પહેલા પણ આંચકી આવી છે.

તેમણે એમ પણ જણાવ્યું કે તેમની પત્ની અને દીકરી ખોટું બોલે છે. પત્નીની બાગેશ્વર ધામમાં આસ્થા હતી એટલે ત્યાં લઈને ગયા હતા. દીકરાની દવા પણ બંધ કરવામાં નથી આવી. બાગેશ્વર ધામમાં પણ દવા સાથે લઈને ગયા હતા. તો દીકરીનું કહેવું છે કે તેના પિતાને આ વિશે કઈ ખબર નથી. તેના કાકાએ પણ તેને જણાવ્યું કે બાબાએ જ તેમને દીકરાની દવા બંધ કરવા માટે જણાવ્યું હતું.

Niraj Patel