1983 વર્લ્ડ કપ વિજેતા દિગ્ગજ ક્રિકેટરનું અચાનક નિધન, જાણો કઈ રીતે અચાનક મૃત્યુ થયું

પૂર્વ ક્રિકેટર અને 1983 વિશ્વ વિજેતા ભારતીય ટીમના સભ્ય રહેલા યશપાલ શર્મા નથી રહ્યા. તેમનું 66 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે નિધન થઇ ગયુ છે.

યશપાલ શર્માના નિધન પર પૂર્વ કેપ્ટન કપિલ દેવ તેમના આંસુ નથી રોકી શક્યા. એક ટીવી ચેનલ પર વાત કરતા તેઓ રડવા લાગ્યા. શર્મા ભારતીય ટીમના સિલેક્ટર પણ રહ્યા છે. કપિલ દેવે કહ્યુ કે, મારા પાસે શબ્દો નથી, હું તેમની મોતની ખબર સાંભળીને સ્તબ્ધ છું. હું પોતાને સંભાળી શકતો નથી.

વર્ષ 1983 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વેસ્ટ ઇંડીઝ વિરૂદ્ધ જીત સાથે શરૂઆત કરી હતી. તેમાં શર્માની મહત્વની ભૂમિકા હતી. જયારે તેઓ ક્રીઝ પર ઉતર્યા ત્યારે ટીમનો સ્કોર 76 રન હતો જે જલ્દી પાંચ વિકેટ પર 141 રન થઇ ગયો. શર્માએ 120 બોલ પર 89 રનની પારી રમી હતી, તેમણે સારા શોર્ટ તો લગાવ્યા સાથે સાથે વિકેટ વચ્ચે સારી દોડ પણ લગાવી.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આક્રમક 40 રન હોય કે પછી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મુશ્કેલ હાલાતમાં રમવામાં આવેલી 61 રનની પારી. શર્માએ ટૂર્નામેન્ટમાં 34.28ના ઔસત સાથે 240 રન બનાવ્યા. ભારતે અંતમાં વર્લ્ડ કપ પોતાને નામ કર્યો.

યશપાલ શર્મા દીલિપ કુમારના મોટા ચાહક હતા. તેમણે કહ્યુ કે, દીલિપ કુમારે તેમના કરિયર બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. ભારતના મીડિલ ઓર્ડરની રીઢ રહેલા યશપાલ શર્માનું લગભગ પૂરુ જીવન ક્રિકેટનો સમર્પિત રહ્યુ. ક્રિકેટથી રિટાયર થઇને પણ તેઓ રમત સાથે જોડાયેલા રહ્યા.

આ ક્રિકેટરે 120 બોલ પર 89 રન કર્યા હતા. તેમણે બેસ્ટ શોર્ટ તો માર્યા જ છે એની સાથે સાથે વિકેટની વચ્ચે દોડીને રણ પણ બનાવ્યા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામે આક્રામક 40 રન હોય અથવા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ અઘરા સમયમાં રમવામાં આવેલા 61 રનની ઈનિંગ હોય. શર્માએ ટૂર્નામેન્ટમાં 34.28ની સરેરાશથી 240 રન બનાવ્યા. ભારતે છેલ્લા વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

YC