‘કુરાન પર ખોટા તથ્યો સાથે એક ડોક્યુમેન્ટ્રી બનાવી અને પછી જુઓ શું થાય છે…’ હાઇકોર્ટે આદિપુરુષના નિર્માતાઓને લગાવી ફટકાર, જુઓ

High Court On Adipurush: ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતાઓને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. ઇલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરતા કહ્યું કે, તમે લોકો ધાર્મિક ગ્રંથોને બખ્શી દો. આ સાથે કોર્ટે માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને અરજીના જવાબમાં વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.

કોર્ટે એમ પણ કહ્યું કે તમે કુરાન પર ડોક્યુમેન્ટ્રી બનાવો, પછી જુઓ શું થાય છે. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને શ્રીપ્રકાશ સિંહની ડિવિઝન બેન્ચે કહ્યું, તમે લોકો કુરાન, બાઈબલને હાથ પણ ન લગાવવો જોઇએ. હું સ્પષ્ટ કરી દઉં કે કોઈપણ ધર્મને સ્પર્શશો નહીં. કોઈપણ ધર્મને ખોટી રીતે રજૂ કરશો નહીં. કોર્ટનો કોઈ ધર્મ હોતો નથી. અમારી ચિંતા માત્ર એ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. જસ્ટિસ ચૌહાણે મૌખિક ટિપ્પણી કરી હતી કે ફિલ્મ નિર્માતાઓનું કામ માત્ર પૈસા કમાવવાનું છે.

કુરાન વિશે એક નાની ડોક્યુમેન્ટ્રી બનાવો, જેમાં તેને ખોટી રીતે બતાવવામાં આવ્યું હોય, પછી જુઓ શું થઈ શકે છે. જો કે, હું ફરી એકવાર સ્પષ્ટ કરું કે આ કોઈ એક ધર્મ વિશે નથી. આ એક યોગાનુયોગ છે કે આ મામલો રામાયણ સાથે જોડાયેલો છે, નહીંતર કોર્ટ તમામ ધર્મોની છે. કોર્ટે પૂછ્યું કે તમે નવી પેઢીને શું શીખવવા માંગો છો? રામાયણના ઘણા પાત્રોની પૂજા કરવામાં આવે છે અને તેમને ફિલ્મમાં કેવી રીતે બતાવવામાં આવ્યા છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એક ન્યાયાધીશે કહ્યું કે ઘણા લોકોએ તેમને કહ્યું કે તેમને ફિલ્મથી દુઃખ થયું છે.

કેટલાક લોકો એવા હતા જેઓ આખી ફિલ્મ જોઈ શક્યા ન હતા. જે લોકો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીને માનતા હોય તેઓ આ ફિલ્મ જોઈ શકતા નથી. કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે, “જો આપણે આજે મોઢું બંધ રાખીશું તો શું થશે.” મેં એક ફિલ્મ જોઈ હતી જેમાં ભગવાન શંકરને રમૂજી રીતે ત્રિશુલ સાથે દોડતા બતાવવામાં આવ્યા હતા. હવે આ બધું બતાવવામાં આવશે ? જ્યારે ફિલ્મ ચાલે છે ત્યારે ફિલ્મ નિર્માતાઓ કમાણી કરે છે. આવું વારંવાર થઈ રહ્યું છે. નિર્માતાએ આ વખતે કોર્ટમાં આવવું પડશે. આ મજાક નથી.

કોર્ટે ફિલ્મને મંજૂરી આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને પણ ફટકાર લગાવી હતી. ભારતના ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મને સેન્સર બોર્ડના ગંભીર સભ્યો દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી. આના પર ખંડપીઠે સેન્સર બોર્ડના સભ્યો તરફ ઈશારો કરીને કહ્યું, “તમે કહો છો કે સંસ્કારવાળા લોકોએ આ ફિલ્મને પ્રમાણિત કરી છે, જ્યાં રામાયણ આ રીતે બતાવવામાં આવી છે, તો તે લોકો પણ ધન્ય છે.” વધુમાં કહ્યું, જે સીધા લોકો છે, શું તેમને દબાવવા જોઈએ ? આવું જ છે ?

આ એક એવા ધર્મ વિશે છે, જેના અનુયાયીઓ કોઈ અરાજકતા પેદા કરી નથી. આ માટે આપણે આભારી હોવું જોઈએ. અમે સમાચારમાં જોયું કે કેટલાક લોકો સિનેમામાં ગયા હતા અને તેઓએ માત્ર હોલ બંધ કરવાનું કહ્યું હતું, તેઓ કંઈક બીજું પણ કરી શક્યા હોત. લાઈવ લોના અહેવાલ મુજબ, કોર્ટે કહ્યું- જો અમે આના માટે અમારી આંખો બંધ કરી લઇએ કારણ કે આ ધર્મના લોકો બહુ સહિષ્ણુ છે, તો શું તેમની કસોટી થશે ?

બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આદિપુરુષના નિર્માતાઓના મનમાં શું આવ્યું કે તેઓએ આવી ફિલ્મ બનાવવાનું વિચાર્યું. ખંડપીઠે ટીપ્પણી કરી, શું કોઈને કલ્પના છે કે આપણા ધાર્મિક પાત્રો ફિલ્મમાં દર્શાવાયા છે તેવા જ હશે? ફિલ્મમાં પાત્રો જે પોશાક પહેરે છે તેના પરથી શું આપણે આપણા ભગવાનના આવા જ હોવાની કલ્પના કરીએ છીએ? રામચરિતમાનસ એટલુ પવિત્ર છે કે લોકો ઘરથી નીકળતા તેનો પાઠ કરે છે અને તમે તેને એવી બેકાર રીતે બતાવો છો.

Shah Jina