જ્યારે જાતકની કુંડળીમાં શનિની મહાદશા આવે છે, ત્યારે સારો સમય પણ ખરાબ સમયમાં બદલાઈ શકે છે, કારણ કે શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિ વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. ન્યાયના દેવતા શનિદેવની મહાદશાનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે. પરંતુ દરેક જાતકને શનિની મહાદશા સહન કરવી પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં 9 ગ્રહોની મહાદશામાં શનિની મહાદશાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કારણ કે તે 19 વર્ષ સુધી ચાલે છે અને શનિ એક ક્રૂર ગ્રહ હોવાથી તેનો પ્રભાવ પણ તીવ્ર હોય છે. બીજી બાજુ જો શનિ કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો તે ભિખારીને રાજા બનાવી શકે છે. તેથી શનિની મહાદશા અને તેના અંતર્દશાના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
શની દેવની મહાદશા વધુ ખતરનાક અને કષ્ટકારક માનવામાં આવે છે કારણ કે શનીની સાડાસાતીનો પ્રભાવ સાડા સાત વર્ષ સુધી રહે છે અને ઢઈય્યાનો પ્રભાવ દોઢ વર્ષ સુધી રહે છે. જ્યારે બીજી તરફ, શની મહાદશાનો સમય 19 વર્ષનો હોય છે. તેથી જે વ્યક્તિની મહાદશા ચાલે છે, તે લાંબા સમય સુધી કષ્ટ ભોગવે છે. જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં શનિદેવ અશુભ સ્થિતિમાં વિરાજમાન છે, તો મહાદશા દરમિયાન વ્યક્તિને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. તેને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમના આ વર્ષો ખૂબ જ મુશ્કેલીઓમાં પસાર થાય છે. ગરીબી, દુ:ખ, બિમારીઓ, મુશ્કેલીઓ તેનો પીછો નથી છોડતી. નોકરી-વ્યવસાયમાં પડકારો અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. કોર્ટ-કચેરીના ચક્કર લગાવવડા પડે છે. અકસ્માતનો શિકાર બની શકે છે. બદનક્ષીનો સામનો કરવો પડે છે.
જ્યારે કુંડલીમાં શનિ ઉચ્ચ સ્થાન પર હોય તો જાતકને ખૂબ જ લાભ આપે છે. તેને ફર્શથી અર્શ પર પહોંચાડી દે છે. તેને કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન, અપાર ધન-દોલત અને શોહરત આપે છે. એવું કહી શકાય કે, શનિની મહાદશાના 19 વર્ષમાં જાતક ખૂબ જ ઊંચાઈએ પહોંચે છે.શનિની મહાદશાનો પ્રભાવ બધી 12 રાશિઓના જીવનમાં અલગ અલગ હોય છે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે, જેમની કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં હોય તો તેમને બમ્પર લાભ મળે છે. શનિની મહાદશા કન્યા, તુલા, ધન અને મીન રાશિના જાતકોને ઘણી પરિસ્થિતિઓમાં શુભ પરિણામ આપી શકે છે.
જો શનિની મહાદશા અશુભ ફળ આપતી હોય તો શનિ માટે ઉપાયો કરવા જોઈએ. શનિવારે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરો. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. શનિના મંત્રો જાપ કરો. હનુમાનજીની પણ પૂજા કરો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)