આ વર્ષે દિવાળીમાં લક્ષ્મીજી કે ભગવાન ગણેશજીની મૂર્તિ આ દિશામાં રાખવાથી થશે ધનવર્ષા

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું ખૂબ મહત્ત્વ હોય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તો જાણીએ પૂજા માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને કઈ દિશામાં રાખવા જોઈએ.

હિન્દુ ધર્મમાં નવું વર્ષ એટલે દિવાળીનો તહેવાર. ત્યારે દિવાળીના તહેવારને લઈ અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. દિવાળી આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી કરવા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળી પર ખાસ ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, જીવનમાં ખુશીઓ આવે છે અને દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે.

દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે જ્યોતિષિઓ દ્વારા ગ્રહ-નક્ષત્ર મુજબ પુજા કરવાનું કહેવામાં આવે છે. ત્યારે આ વર્ષે દિવાળી પર લક્ષ્મી માતા અને ગણેશજીની મૂર્તિ કઈ દિશામાં રાખવી તે પણ જાણી લઈએ.માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીને ભગવાન ગણેશની ડાબી બાજુ સ્થાપિત કરવી જોઈએ, જે તદ્દન ખોટું છે. કારણ કે ડાબી બાજુ પત્નીનું સ્થાન હોય છે પરંતુ માતા લક્ષ્મી ગણેશજીની માતા સ્વરૂપ છે એટલા માટે હંમેશા લક્ષ્મીજીની મૂર્તિ ગણેશજીની જમણી બાજુએ રાખવી જોઈએ.ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓને પૂજાના સ્થાન પર એવી રીતે રાખો કે તેમનું મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ રહે.

દિવાળી પર કળશની સ્થાપનાનું મહત્ત્વ રહેલું છે. કળશની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે કારણ કે કળશને વરુણદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. જો દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા દરમિયાન કળશની સ્થાપના કરવામાં આવે તો પૂજાનું ફળ બમણું મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. હિંદુ માન્યતાઓ અનુસાર કળશને અમૃતનું તત્ત્વ માનવામાં આવે છે. એવામાં દિવાળી પર ઘરમાં કળશ સ્થાપિત કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. અમૃત તુલ્ય હોવાને કારણે સ્વસ્થ શરીરની પ્રાપ્તિ થાય છે.

Twinkle