ધનતેરસ 2025: હંસ મહાપુરુષ રાજયોગથી ચમકશે 3 રાશિઓની કિસ્મત

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેને જ્ઞાન, શિક્ષણ, સંતાન, ધન-સંપત્તિ અને વૈવાહિક સુખનો કારક માનવામાં આવે છે. નવગ્રહોમાં ગુરુનો પ્રભાવ ખૂબ જ મહત્વનો ગણાય છે, કારણ કે તેની ગતિ અને સ્થિતી તમામ બાર રાશિઓના જીવનમાં સીધી અસર કરતી હોય છે.

આ વર્ષે ધનતેરસના દિવસે એક અતિશય દુર્લભ સંયોગ બનવાનો છે. 18 ઓક્ટોબર 2025ના રોજ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને આ સાથે જ હંસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષના ગ્રંથો મુજબ, મહાપુરુષ રાજયોગોમાં હંસ યોગને અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે આ યોગ બને છે ત્યારે જાતકના જીવનમાં સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને પ્રગતિના નવા દરવાજા ખુલે છે.

ધનતેરસનો દિવસ સ્વયં ધન અને સંપત્તિની કૃપા માટે ઓળખાય છે. આવા શુભ દિવસે ગુરુનો ઉચ્ચ રાશિમાં પ્રવેશ થવો એ સોનામાં સુગંધ સમાન માનવામાં આવે છે. આ યોગ ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે ભાગ્યના નવા અધ્યાયની શરૂઆત કરાવશે.

કર્ક: રાશિના જાતકો માટે આ રાજયોગ અત્યંત લાભદાયી સાબિત થશે. તેમના આર્થિક પરિસ્થિતિમાં મજબૂતી આવશે, પરિવાર સાથે સુખદ ક્ષણો વધશે અને અટવાયેલા કામ સફળતા સાથે પૂર્ણ થશે. અચાનક ધનલાભ અથવા રોકાણમાંથી સારો ફાયદો થવાની સંભાવનાઓ પણ ઊભી થશે.

તુલા: રાશિના જાતકો માટે આ સમય વ્યવસાય અને કારકિર્દીમાં પ્રગતિ લાવનાર સાબિત થશે. નવા કરાર, પ્રોજેક્ટ્સ અથવા રોકાણથી મોટો નફો થવાની શક્યતાઓ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી તક મળી શકે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે અને પરિવાર સાથે સુખદ વાતાવરણ રહેશે.

વૃશ્ચિક: રાશિના જાતકો માટે હંસ મહાપુરુષ રાજયોગ ખૂબ જ શુભ સાબિત થશે. કારકિર્દીમાં તેજી આવશે, ધનલાભ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. રોકાણથી સારો નફો થશે અને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઝોક વધશે. નોકરીમાં સન્માન અને પ્રમોશનની પ્રબળ શક્યતાઓ છે.

આ રીતે 18 ઓક્ટોબર 2025ના રોજ બનતો હંસ મહાપુરુષ રાજયોગ ફક્ત જ્યોતિષ દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ધાર્મિક માન્યતાઓ મુજબ પણ અત્યંત શુભ સંયોગ સાબિત થશે. ધનતેરસના આ દિવસે તુલા, વૃશ્ચિક અને કર્ક રાશિના જાતકોને સમૃદ્ધિના નવા રસ્તા મળશે અને જીવનમાં આનંદ સાથે સફળતા વધશે.

kalpesh
error: Unable To Copy Protected Content!